નવરાત્રી એટલે કે ખૈલયાઓ માટે નવ દિવસનો સૌથી મોટો તહેવાર ગણાય છે, ત્યારે આ વખતે વરસાદ વિલન બનતા લોકોની મજા બગાડી હતી. જો કે ગુજરાતીએ ગરબા પાછળ એટલા ઘેલા હોય છે કે, ગરબા કરવાની તક કોઇ પણ સંજાગોમાં છોડે નહી.આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં ખૈલયાઓ સુરત એરપોર્ટ પર જ ગરબે ઘુમવા લાગયા હતા અને નવરાત્રીની મજા માણી હતી. શહેરમાં નવરાત્રી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સુરત એરપોર્ટ પર આવેલા યાત્રીઓને પણ નવરાત્રીનું ઘેલું લાગ્યું હતું. એરપોર્ટ પર આવેલા મુસાફરો અને ફરજ બજાવતા કેટલાક સ્ટાફ કર્મીઓએ મન મૂકીને ગરબાની મોજ માણી હતી. નવરાત્રી હોય અને ગુજરાતીઓ ગરબા ન રમે તેવું કેવી રીતે બને? પછી એ ભલેને કોઈ પણ સ્થળ હોય. સુરતમાં પણ કંઈક આવો જ નજારો જોવા મળ્યો. સુરત એરપોર્ટ પર એર સ્ટાફે ગરબા ઘૂમીને નવરાત્રીની મોજ માણી હતી. એટલું જ નહી, પરંતુ એર સ્ટાફને ગરબે ઘૂમતા જોઈને મુસાફરો પણ આ તકને છોડવા ન માંગતા હોય તેમ, મુસાફરોએ પણ ગરબે ઘૂમીને નવરાત્રીનો આનંદ માણ્યો હતો.
સુરત એરપોર્ટ પર નવરાત્રીની ધૂમ
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment