પંચમહાલના હાલોલ તળાવમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નિપજ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ બનાવ અંગે જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. જ્યારે આ અંગે સ્થાનિક પોલીસની ટીમને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, પંચમહાલના હાલોલ તળાવ પાસે કોઈ યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક વ્યક્તિને થઈ હતી. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડની ટીમની મદદથી યુવાનના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી તેની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે. યુવાને કયા કારણસર આત્મહત્યા કરી તે અંગે હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
હાલોલ તળાવમાં ડૂબી જવાથી એકનું મોત
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.