Connect with us

પોરબંદર

પોરબંદર : રાણાવાવમાં નગરપાલિકા દ્વારા રેલી કાઢવામાં આવી

Published

on

રાણાવાવ શહેર ખાતે 150મી ગાંધીજયંતી નિમિત્તે રાણાવાવ  નગરપાલિકા દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. જેમાં રાણાવાવ શહેરના નગરપાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ અધ્યક્ષ, ચીફ ઓફિસર અને તમામ પાલિકા સભ્યો રાણાવાવ  શહેરને જાતે સફાઈ કરી અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમજ રાણાવાવ વિસ્તારને સ્વચ્છ રાખવા તમામ નગરજનોને સાથ સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી હતી. આજના દિવસે આપણે સર્વે એક સપંત લઈએ કે આપણા ઘર આપણા શહેર તેમજ આપણો દેશ સ્વચ્છ રાખીશું. તેમજ પ્લાસ્ટિક મુક્ત રાખીશું. દેશ તેમજ શહેરના પર્યાવરણને બચાવીશું. તેમજ પાણીનો ગેર ઉપયોગ ન કરીશુ કે ન થવા દેશુ. તેમજ પાણીનો બચાવ કરીશું. આજ રોજ તમામે આવા શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં રાણાવાવ  નગરપાલિકા તેમજ શાળાઓ, નગરજનો, સ્કૂલના બાળકો પણ જોડાયા હતા.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

પોરબંદર

પોરબંદરમાં ખીદમત-એ-ખલ્ક ગૃપ દ્વારા સમૂહશાદી નિમિતે ડિઝીટલ કંકોત્રી બનાવાઇ

Published

on

Khidmat-e-Khalk Group launches digital concert in Porbandar

પોરબંદરમાં ખીદમત-એ-ખલ્ક ગૃપ દ્વારા સમૂહશાદીનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહશાદી નિમિતે ડિઝીટલ કંકોત્રી બનાવી છે જેમાં પર્યાવરણ બચાવવાનો સંદેશ સાથે વૃક્ષ ઉછેરને મહત્વ આપતી ડિઝાઇન સાથે `વૃક્ષ વાવો’ના સુત્રથી કંકોત્રીમાં સુંદર લખાણ કરવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસે જ કંકોત્રી જાહેર કરાઇ હતી. સમૂહશાદી દરમિયાન વન વિભાગના સહયોગથી રોપાનું પણ વિતરણ કરાશે. ખીદમત-એ-ખલ્ક દ્વાર સતત બીજી વખત પોરબંદરમાં સમૂહશાદીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પર્યાવરણ બચાવવાની થીમ ઉપર કંકોત્રી બનાવડાવી છે. આ કંકોત્રી વિશ્વ પર્યાવરણ દિવસે જ સોશ્યલ મીડિયાના માધ્યમથી દુલ્હા-દુલ્હનના પરિવાર અને આગેવાનો, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ, નિમંત્રીતો સુધી પહોંચાડવામાં આવી છે. તા . ૧૨-૦૬-ર૦રર, રવિવારે સાંજે ૪ કલાકે યોજાનાર આ કાર્યક્રમ અંગે માહિતી આપતા ફારૂકભાઈ સુર્યા અને પ્રોજેકટ ચેરમેન સરફરાઝ ઈસ્માઈલ મુંડા એ જણાવ્યું હતું કે, પોરબંદરમાં બીજી વખત સમુહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિ.જે.મદ્રેસા બોયઝ હાઈસ્કુલ ખાતે દુલ્હાની નિકાહ દરમિયાન બપોરે ૪:૦૦ વાગ્યાથી આયોજીત કાર્યકમમાં પર્યાવરણ અંગે જનજાગૃતિ અનુસંધાને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. દુલ્હા-દુલ્હન સહિત મહેમાનોને અને ઉપસ્થિત તમામને વનવિભાગના સહયોગથી રોપા વિતરણ કરી વૃક્ષો વાવવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે અને તા.૫ થી ૧૨ પર્યાવરણ સપ્તાહની ઉજવણી વિ.જે.મદ્રેસા ખાતે કરવામાં આવશે.

Khidmat-e-Khalk Group launches digital concert in Porbandar

આ કાર્યક્રમમાં સૈયદ સઆદતઅલીબાપુ (પોરબંદર), સૈયદ જલાલબાપુ (પોરબંદર), નહઝરત અલ્લામા-વ-મૌલાના મુફતી અશરફરઝા બુરહાની (રતનપુર ખેડા) અને નપીરે તરીકત હુઝુર ગુલઝારે મિલ્લત અલ્લામા ગુલઝાર અહમદ નૂરી (સજ્જાદાહ નશીન ખાનકાહે રઝવિય્યાહ નુરીચ્ચાહ, જુનાગઢ), મોલાના હાજી યુસુફ હશ્મતી  મોલાના હાફીઝો કારી જાવિદ, મોલાના મેઅરાજઅલી (દાદાબાપુ) (માધવપુર) તેમજ સાદાતે કીરામ અને ઓલમા-એ-કીરામ તેમજ સુન્ની મુસ્લીમ જમાતના આગેવાનો ખાસ ઉપસ્થિત આ ઉપરાંત પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા, પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળ, હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા ડબલ્યુ એમ.ઓ, જુનાગઢના સીટી ચેરમેન મહેબુબભાઈ વિધા ટેકનીકલ ડાયરેકટર કલેકટર ઓફીસના ઈબ્રાહીમ બાદી, રેન્જ ફોરેસ્ટ ઓફીસર પ્રોટેકશન રેન્જ પોરબંદરના અરૂણકુમાર બી. સરવૈયા ખાસ ઉપસ્થિત રહી નવદમ્પતીઓ ને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવશે.

Continue Reading

પોરબંદર

પોરબંદર સહિત રાજ્યના વીસીઇ કર્મચારીઓએ હડતાલ સ્થગીત કરી: ખેડૂતોની લોકલાગણીને લઇને હાલ પૂરતી હડતાલ સ્થગીત કરવામાં આવી

Published

on

State VCE workers, including Porbandar, have postponed their strike.
પોરબંદર સહિત રાજ્યભરના વીસીઇ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઇને હડતાલ ઉપર ઉતર્યા હતા. ગ્રામ પંચાયત વીસીઇની રર દિવસથી સતત ચાલતી લડત હાલ પુરતી સ્થગીત કરવામાં આવી છે. આ નિર્ણય મંડળ દ્વારા લેવામાં આવેલ છે. આ હડતાલથી વિદ્યાર્થી, ખેડૂતો, ગ્રામજનોને ખૂબજ મુશ્કેલી પડી રહી હતી. વીસીઇ કર્મચારીઓ છેલ્લા ૧૬ વર્ષથી ગ્રામજનો સાથે જોડાયેલા છે. વગર પગારે પણ લોકોની સેવા કરેલ હોય, વિદ્યાર્થી, ખેડૂતો, ગ્રામજનોની ભલામણ અને લોકલાગણીને ધ્યાને લઇ અચોક્કસ મુદતની હડતાલ હાલ પૂરતી સ્થગીત કરાઇ છે. સાથે જ આ મંડળે જણાવ્યું હતું કે તેમની લડત ચાલુ છે. વીસીઇ મંડળ ગામના હિતને ધ્યાને લઇ કામગીરી કરતા કરતા ડિઝીટલ ગુજરાતનો પાયાનો પથ્થર સમાન વીસીઇ કર્મચારીઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી લડત આપશે અને સરકાર જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારે તેમજ ન્યાય નહીં આપે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.
State VCE workers, including Porbandar, have postponed their strike.
આ હડતાલ સામે સરકારે વીસીઇની માંગણીને ધ્યાને લઇ મહિને બે હજાર રૂપિયા, ર૦૦ રૂપિયા નેટ માટે, બે લાખ રૂપિયા વીમા કવચ, પાંચ રૂપિયાનો કમિશનમાં વધારો આપવાનું નક્કી કરેલ છે. પરંતુ વીસીઇ મંડળની મુખ્ય માંગણીઓ બાકી હોય જેથી લડત ચાલુ રહેશે. પોરબંદર જિલ્લા વીસીઇ યુનિયનના પ્રમુખ સલીમ એ. ઘાવડાએ જણાવ્યું હતું કે ગ્રામજનોને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખી તેમજ વિદ્યાર્થીઓ, ખેડૂતોની લોકલાગણીને લઇને હાલ પૂરતી હડતાલ સ્થગીત કરવામાં આવી છે. પરંતુ સોશ્યલ મીડિયાના માધ્યમથી વીસીઇ કર્મચારીઓ લડત આપશે.

Continue Reading

પોરબંદર

પરમવીર ચક્રથી સન્માનીત યોગેન્દ્રકુમાર યાદવે અહસાના પૂજારી ગાંધીજી સમક્ષ શીશ ઝુકાવ્યું

Published

on

Yogendra Kumar Yadav, honored with Paramvir Chakra, bows his head before Gandhiji, the priest of Ahsa

કારગીલના યુદ્ધમાં દુશ્મનોનો ખાતમો કરી અને પરમવીર ચક્રથી જેમને સન્માનીત કરવામાં આવ્યા છે તે યોગેન્દ્રકુમાર યાદવ આજે પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. તેમણે ગાંધી જન્મસ્થળ અને કીર્તિમંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. આ પ્રસંગે તેમણે એવું જણાવ્યું હતું કે આજે ગાંધી જન્મસ્થળે આવી અને નવી ઉર્જાનો સંચાર થયો છે. યોગેન્દ્રકુમાર યાદવે વિઝીટબુકમાં પોતાના પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા. કારગીલના યુદ્ધમાં પાકિસ્તાનને ભારતે પરાસ્ત કર્યું હતું. આ યુદ્ધમાં અનેક જવાનો શહિદ થયા હતા તો અનેક વીરજવાનોએ દુશ્મનોના છક્કા છોડાવી દીધા હતા. જેમાં આર્મીના જાબાઝ જવાન યોગેન્દ્રકુમાર યાદવે દુશ્મનો સામે લડતા જેમણે ૧પ ગોળી પોતાની છાતી ઉપર ઝીલી હતી તેમ છતાં ભારતમાતાના આશીર્વાદથી તેઓનો જીવ બચી ગયો હતો. આ યુદ્ધમાં શૌર્ય દાખવનાર યોગેન્દ્ર યાદવને પરમવીર ચક્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

Yogendra Kumar Yadav, honored with Paramvir Chakra, bows his head before Gandhiji, the priest of Ahsa

ભારતના વીર સપૂત આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે આવ્યા હતા. તેમણે ગાંધી જન્મસ્થળ અને કીર્તિમંદિર ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને શીશ ઝુકાવ્યું હતું. આ પ્રસંગે યોગેન્દ્રકુમાર યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે અત્યાર સુધી પુસ્તકોમાં જ ગાંધીજી વિશે જાણ્યું હતું પરંતુ આજે તેમની જન્મસ્થળે આવવાની અમૂલ્ય તક મળી છે ત્યારે અહીંયા આવીને નવી ઉર્જાનો સંચાર થયો હોય તેવી અનુભુતી થઇ રહી છે. દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આજે પણ લોકોના વિચારમાં જીવંત છે. યોગેન્દ્રકુમાર યાદવે ગાંધી મ્યુઝિયમ અને પુસ્તકાલયની મુલકાત લીધી હતી. ત્યારબાદ કીર્તિમંદિરની વિઝીટબુકમાં પણ ગાંધીજી વિશેના પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. ઉપલેટા ખાતે કારગીલ શહિદ જવાનની મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રસંગે આવ્યા હતા આથી તેઓ ખાસ ગાંધીજીના દર્શન કરવા માટે ઉપલેટાથી પોરબંદર આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Continue Reading
ગુજરાત3 days ago

આત્મસમર્પણના અહેવાલો વચ્ચે અમૃતપાલ સિંહે આજે વીડિયો સંદેશ જારી કર્યો

Uncategorized3 days ago

ડ્રાઇવિંગ મોડ ડ્રાઇવિંગ અનુભવને બદલે છે, શ્રેષ્ઠ માઇલેજ મેળવવા માટે આ રીતે તેનો ઉપયોગ કરો

Uncategorized3 days ago

સહારા ચિટફંડમાં ફસાયેલા પૈસા પાછા આવશે, સુપ્રીમ કોર્ટે 5000 કરોડ જાહેર કર્યા

Uncategorized3 days ago

IIT મદ્રાસે પેપર આધારિત પોર્ટેબલ ઉપકરણ બનાવ્યું, 30 સેકન્ડમાં દૂધ સહિત આ પદાર્થોમાં પકડી લેશે ભેળસેળ

Uncategorized3 days ago

નિઝામાબાદ જિલ્લામાં મોટી દુર્ઘટના, ખોદવાનું મશીન કાર પર પડ્યું; ત્રણના મોત સહિત ચાર ઘાયલ

Uncategorized3 days ago

PMએ ડેમોક્રેસી સમિટમાં કહ્યું- ભારત ખરેખર લોકશાહીની માતા છે, દેશ છે લોકશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ

Uncategorized3 days ago

કેન્દ્ર સરકારમાં 9.79 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, રેલવેમાં સૌથી વધુ 2.93 લાખ જગ્યાઓ ખાલી

Uncategorized3 days ago

પુણેના સાંસદ ગિરીશ બાપટનું નિધન, પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું- જનતાના મુદ્દા ઉઠાવતા નેતા

નેશનલ4 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

વર્લ્ડ4 weeks ago

‘પુતિનનું યુક્રેન યુદ્ધ LAC પાર ચીનના આક્રમણને પ્રોત્સાહિત કરી શકે છે,’ ભૂતપૂર્વ યુએસ ટોચના અધિકારીએ ચેતવણી આપી

ગુજરાત2 weeks ago

LGBTQ તરીકે ઓળખાતા યુગાન્ડા આઉટલો, ગેરકાયદેસર સમલૈંગિક સંબંધો માટે આપે છે મૃત્યુદંડ

Uncategorized4 weeks ago

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Uncategorized4 weeks ago

હેલ્થકેરને વધુ સારી બનાવવા ભારત અને વિશ્વ બેંક વચ્ચે થયો એક બિલિયન યુએસ ડોલરનો કરાર

Uncategorized4 weeks ago

વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટનો ફટકો! સંપત્તિ જપ્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી

Uncategorized4 weeks ago

4 હાઈકોર્ટમાં 20 વધારાના ન્યાયાધીશોની બઢતી, કાયદા મંત્રાલયના વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

Trending