રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે NSUIનો આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે. વિવિધ ભવનોમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં માનીતાને લેવાનો કારસો હોવાનો રાજકોટ શહેર એન એસ યુઆઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપના સિન્ડિકેટ સભ્યોએ અધ્યાપકોની ભરતી બાબતે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હોવાનો NSUI દ્વારા સનસનીખેજ આક્ષેપ પણ કરાયો છે. જેતે ભવનમાં જાણીતાને કરાર આધારિત અધ્યાપક બનવવા વોટ્સએપના માધ્યમથી રણનીતિ ઘડવામાં આવતી હોવાનો આશંકા વ્યક્ત કરતાં સમગ્ર મામલે એન એસ યુ આઇ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ એન એસ યુ આઇ દ્વારા ઉગ્ર રોષ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજકોટ- NSUIનો આક્રમક વિરોધ પ્રદર્શન
Leave a comment
Leave a comment