પલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ગામમાં પંદર જેટલાં એક્ટિવ કેસ હોવાનું માલુમ પડે છે. તેવામાં 45થી મોટી ઉમરના લોકોને વેક્સીન આપવાની પ્રક્રિયા ચાલુ હોય છતાં લોકોમાં વેક્સીન લેવા પ્રત્યેની કોઈ જાગૃતતા નથી દેખાતી. હજુ સુધી પાનેલીમાં વિસ ટકા લોકોએ જ વેક્સીન અપાવી છે. જેને લઈને લોકોમાં જાગૃતિ માટે તથા મનમાં રહેલ શંકા કુશંકા કે ડર કાઢવા માટે ગામની વિવિધ સંસ્થાઓના હોદેદારો એ સઘન પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં મોટી પાનેલી ભારતીય જનતા પાર્ટીના અશોકભાઈ પાંચાણી મહેન્દ્રભાઈ ભાલોડીયા સંજય દેગામા વગેરે દ્વારા પછાત વિસ્તારમાં લોકોને વેક્સીન માટે અપીલ કરી છે.
સાથે જ ગ્રામપંચાયતના સરપંચ તેમજ ઉપ સરપંચ બધાભાઇ ભારાઈ દ્વારા પણ સોસીયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી છે. તેમજ મોટી પાનેલી વેપારી એસોસિઅન દ્વારા દરેક ધંધાર્થી મિત્રોને ડર રાખ્યા વિના વેક્સીન લેવા સમજાવામાં આવી રહ્યા છે. સાથે જ ગામની ખાનગી શાળા સરસ્વતી ધામ શાળા દ્વારા તો વેક્સીન લેવા માટે લોકોમાં બહોળો પ્રચાર કરવામાં આવી રહ્યા છે. અત્રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી નિકુંજભાઈ હાર્દિકભાઈ રમેશભાઈ નયનભાઈ તેમજ સ્ટાફના બહેનો સાથે આશાવર્કર બહેનો પણ લોકોને વેક્સીન લેવા સમજાવના સઘન પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.