Connect with us

ગુજરાત

સોમવારથી જમ્મુ-કાશ્મીરમાં સ્કુલો-કોલેજો ખુલશે – રાજ્ય વહિવટી તંત્રએ જાહેર કર્યો નિર્દેશ

Published

on

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવાયા બાદથી અસામાન્ય બનેલ જનજીવન ફરી એકવાર પાટા પર ચડતુ નજરે પડી રહ્યુ છે. સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનતી જોવા મળી રહી છે ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે રાજ્યના વહિવટી તંત્રએ રાજ્યની તમામ સ્કુલ-કોલેજો અને સરકારી કચેરીઓને સોમવારથી પૂનઃકાર્યરત કરવાનો નિર્દેશ જાહેર કરી દીધો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી કાર્યાલય અને સચિવાલય શુક્રવારથી કામકાજ શરુ કરી દેશે. આ વચ્ચે આર્ટિકલ 370ની જોગવાઈઓને ખત્મ કરવા વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અરજીકર્તાને કહ્યું કે, જાણકારીની પુષ્ટી કર્યા વગર, માત્ર થોડી સુચનાઓને આધારે અરજી દાખલ કરી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, સ્વતંત્રતા દિવસ દરમિયાન પ્રદેશની સ્થિતિની સમીક્ષા કર્યાબાદ પ્રશાસને આ નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે મીડિયા પર પ્રતિબંધ હટાવવા સંબંધી અરજી પર એક વખત ફરી કહ્યું છે કે, પ્રદેશની સ્થિતિ સ્થિર કરવા માટે સરકારને થોડા સમય મળવો જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટેમાં જણાવ્યું કે, સુરક્ષા એજન્સીઓ દિવસેને દિવસે સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરી રહી છે. મહત્વનું છે કે, 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કશ્મીર પરથી આર્ટિકલ 370 ખત્મ કરવા સંબંધી કેન્દ્ર સરકારના નિર્ણય બાદ સુરક્ષાને લઈને સ્કુલ, કોલેજ, સરકારી ઓફિસ સહિત અનેક સંસ્થાઓ બંધ કરી દીધી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

ગુજરાતમાં હીટ વેવ વધશે, અમદાવાદમાં આ તારીખે યલો એલર્ટ જારી

Published

on

ગુજરાતમાં માવઠાની સિઝન શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેથી હવે ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. વરસાદ બાદ તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી 4 અને 5 જૂન માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સાબરકાંઠામાં થંડર સ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે
બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ચોમાસાને લઈને નિવેદન આપ્યું છે. મીડિયાના મતે તેમણે આ વખતે રોહિણી નક્ષત્ર, ચોમાસુ સરુ પ્રમાણે ગુજરાતમાં રહેવાની શક્યતાઓ દર્શાવી છે. તેમના મતે હાલમાં બે ચક્રવાત વિકસી રહ્યા છે. એક સાથે બે ટોર્નેડો સક્રિય થશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે. જેની અસર ગુજરાતના પર્યાવરણને થશે.

15 થી 17 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બેસી શકે છે
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ચક્રવાતને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. તે સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં 8 થી 11 જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ છે. ચોમાસા અંગે તેમણે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં 15 થી 17 જૂન સુધી ચોમાસું બેસી શકે છે. જ્યારે 22મીથી 25મી જૂન દરમિયાન રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસુ બેસવાની શક્યતાઓ છે.

અમદાવાદમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે
ગઈકાલે હવામાન વિભાગે કહ્યું હતું કે આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી છે. જો કે, આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે વરસાદ થવાની ધારણા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. જ્યારે ઉત્તર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હજુ ગરમીનો અનુભવ થશે. રાજ્યમાં 40 ડિગ્રીની આસપાસ ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગે અમદાવાદ માટે 1 જૂન અને 4 જૂને યલો એલર્ટ જાહેર કર્યું છે.

Continue Reading

ગુજરાત

અમદાવાદમાં રિક્ષા ચાલકની દાદાગીરીનો વીડિયો વાયરલ, બાદમાં પોલીસે શું કયું? જાણો

Published

on

શહેરમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોનો કિમતી સામાન તો સુરક્ષિત નથી પણ મુસાફરો પણ સુરક્ષિત નહીં હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં એક રિક્ષા ચાલક મુસાફરને અધવચ્ચે ઉતારી દઈને તેની પાસેથી પૈસા પડાવતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરની ટ્રાફિક પોલીસે આ રિક્ષા ચાલકની ધરપકડ કરીને તેની રિક્ષા ડીટેઈન કરી છે અને ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.

સોશિયલ મિડીયામાં એક વીડિયો વાયરલ થયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઇ કાલે સોશિયલ મિડીયામાં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જોતા એક રીક્ષાનો ડ્રાઇવર કાલુપુર રેલ્વે સ્ટેશનથી પેસેંજર લઈ પેસેંજરને રસ્તામાં ઉતારી બળજબરીથી પૈસા પડાવતો હોવાનુ તથા પેસેન્જરને માર મારતો હોવાનુ જણાયું હતું. આ વીડિયો પોલીસના હાથે લાગતાં રીક્ષા ડ્રાઇવર તેમજ રીક્ષાની ડીસીપી ટ્રાફિક પૂર્વ સ્કોડના માણસો દ્વારા ખાનગી રાહે તપાસ કરાવતા રીક્ષા ડ્રાઇવર મોહનલાલની ચાલી રાજપુર ગોમતીપુર નાનો હોવાનુ માલુમ પડ્યું હતું.

રિક્ષા ચાલકની અટકાયત કરવાની કાર્યવાહી
પોલીસે આ રીક્ષા ચાલકની તેના ઘરે જઈ તપાસ કરતા તે રીક્ષા સાથે હાજર મળી આવતા તેનુ નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ અકબર મુમતાજ હુસેન ખલીફા હોવાનુ જણાવેલ જેથી તેની રીક્ષા ડીટેઇન કરવામાં આવી હતી. તેમજ સદરી રીક્ષા ચાલકનુ ડ્રાઇવીંગ લાઇસન્સ તેમજ પરમીટ રદ કરવા આર.ટી.ઓ અધિકારીને રીપોર્ટ કરવા સુચના કરવામાં આવેલ છે. રીક્ષા ડ્રાઇવર વિરુધ્ધ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે અટકાયતી પગલા લેવડાવવામાં આવેલ છે.

પોલીસે પેસેન્જરને શોધવા ચક્રો ગતિમાન કર્યાં
બીજી તરફ વીડિયોમાં દેખાતો રિક્ષામાં બેઠેલો પેસેન્જર પોલીસને મળ્યો નહોતો. જેથી તેને શોધવાની તપાસ ચાલુ કરવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો અંગે તાત્કાલિક કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે. અમદાવાદમાં બહારથી આવેલા મુસાફરો સાથે દાદાગીરી કરતાં રિક્ષા ચાલકોને સબક શિખવવા પોલીસ હવે સક્રિય થઈ ગઈ હોવાનું આ કાર્યવાહી પરથી લાગી રહ્યું છે.

Continue Reading

ગુજરાત

શિક્ષણનો અધિકાર ફરજિયાત EWS વિદ્યાર્થીને પોતાને શિક્ષિત કરવા માટે “એક પૈસો પણ” ચૂકવવા માટે ફરજ પાડવામાં આવતી નથી: મદ્રાસ હાઈકોર્ટ

Published

on

By

મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે બાળકોના મફત અધિકાર હેઠળ શાળામાં પ્રવેશતા આર્થિક રીતે નબળા વિભાગ (EWS) ના બાળક દ્વારા કરવામાં આવેલ પુસ્તકો, અભ્યાસ સામગ્રી વગેરે પરના ખર્ચ સહિત તમામ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો જોઈએ. ફરજિયાત શિક્ષણ (RTE) અધિનિયમ.

18 એપ્રિલના રોજ પસાર કરાયેલા આદેશમાં, જસ્ટિસ એમ ધંડાપાનીએ જણાવ્યું હતું કે રાજ્ય એવો દાવો કરીને જવાબદારીથી છટકી શકે નહીં કે કાયદો ફક્ત બાળકની ટ્યુશન ફીની ભરપાઈની જોગવાઈ કરે છે.

રાજ્ય તમામ ખર્ચ “શોષિત” કરવા માટે બંધાયેલું છે અને એ સુનિશ્ચિત કરે છે કે EWS વિદ્યાર્થીઓને કાયદા હેઠળ ફરજિયાત શિક્ષણ મેળવવા માટે “એક પૈસો પણ” ચૂકવવો ન પડે, કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું.

“અવિવાદિત સ્થિતિની પૃષ્ઠભૂમિમાં, રેકર્ડ પર ઉપલબ્ધ સામગ્રીઓ પરથી સ્પષ્ટ થાય છે કે, આ અદાલતનો વિચારણા મુજબનો અભિપ્રાય છે કે રાજ્યની ફરજ છે કે તે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રદાન કરે ) અને (ઇ) અધિનિયમની તમામ ફી કે જે તેના માથા પર બાળક માટે ચૂકવવાપાત્ર હશે અને તે બાળક માટે નથી, તેને પોતાને શિક્ષિત કરવા માટે એક પૈસો પણ ચૂકવવા માટે ઉપરોક્ત ક્વોટા હેઠળ સ્વીકારવામાં આવે છે, કારણ કે તે રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતો હેઠળ રાજ્યની ફરજિયાત ફરજ છે કે તે નબળા વર્ગો અને વંચિત જૂથોના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રદાન કરે જે બંધારણ હેઠળ ગણાય છે પરંતુ કાયદાની કલમ 12 (2) ના માળખામાં છે,” કોર્ટે કહ્યું.

કોર્ટ એક સગીર, એક એમ સુવેથન દ્વારા તેના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં તેમની અગાઉની રજૂઆત અંગે નિર્ણય લેવા માટે બાળ અધિકારોના સંરક્ષણ માટેના રાજ્ય આયોગને નિર્દેશોની માંગણી કરવામાં આવી હતી.

RTE કાયદાની જોગવાઈઓ અનુસાર અરજદારને વેલ્લોર જિલ્લામાં એક ખાનગી, બિન-સહાયિત મેટ્રિક સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

તેના માતા-પિતાએ આગામી બે શૈક્ષણિક વર્ષોની ફી તરીકે આશરે ₹11,700 ચૂકવ્યા હતા. જો કે, શાળાએ યુનિફોર્મ, પાઠ્ય પુસ્તકો અને સ્ટેશનરી વગેરે સહિત અભ્યાસ સામગ્રી માટે વધુ ₹11,000ની માંગણી કરી હતી.

અરજદાર તે રકમ ચૂકવવામાં અસમર્થ હોવાથી, તેને માત્ર વર્ગમાં બેસવાની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ તે કોઈ પુસ્તકો અને નોટબુક પરવડે તેમ ન હોવાથી તે અભ્યાસ અને શીખવામાં અસમર્થ હતો, એમ તેના વકીલે કોર્ટને જણાવ્યું હતું.

રાજ્ય સરકારે દલીલ કરી હતી કે ફી નિર્ધારણ સમિતિ દ્વારા નિર્ધારિત કરેલ ટ્યુશન ફીની જ ચૂકવણી કરવી અથવા ભરપાઈ કરવી જરૂરી છે.

અધિનિયમની કલમ 12(1)(c) હેઠળ પૂરી પાડવામાં આવેલ 25 ટકા ક્વોટા હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ અન્ય કોઈપણ ફી વહન કરવાની રહેશે. તેથી, યુનિફોર્મ, નોટબુક અને અભ્યાસ સામગ્રી માટે માંગવામાં આવેલી ફી અરજદારે ચૂકવવાની રહેશે અને રાજ્યને ફી નિર્ધારણ સમિતિ દ્વારા નિર્ધારિત ન હોય તેવી ફી ચૂકવવાનો નિર્દેશ આપી શકાય નહીં, તમિલનાડુ સરકારે દલીલ કરી હતી.

જોકે, હાઈકોર્ટે જણાવ્યું હતું કે રાજ્યની રજૂઆત ભૂલભરેલી હતી અને તેને સ્વીકારી શકાય તેમ નથી.

તેમાં કહેવામાં આવ્યું છે કે પુસ્તકો, ગણવેશ, નોટબુક અને અન્ય તમામ સામગ્રી એ શિક્ષણ માટે જરૂરી ઘટકો અને અભિન્ન અંગ છે.

તેથી, રાજ્યએ RTE કાયદાની જોગવાઈઓ હેઠળ રાજ્યભરની શાળાઓમાં નોંધાયેલા અરજદાર સહિત તમામ EWS વિદ્યાર્થીઓ માટે ચૂકવવાપાત્ર સંપૂર્ણ રકમની ભરપાઈ કરવાની રહેશે.

અરજદાર તરફથી એડવોકેટ આર શંકરસુબ્બુ હાજર રહ્યા હતા.

સરકારી વકીલ એસ બાલામુરુગન રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગ તરફથી હાજર થયા.

પ્રતિવાદી રાજ્ય સરકાર અને જિલ્લા સત્તાવાળાઓ તરફથી એડિશનલ એડવોકેટ જનરલ વી અરુણ અને એડવોકેટ આર કુમારવેલ હાજર રહ્યા હતા.

પ્રતિવાદી શાળા તરફથી એડવોકેટ આર નટરાજન હાજર રહ્યા હતા.

Continue Reading
બિઝનેસ2 mins ago

2000ની નોટો પાછી ખેંચી લીધા બાદ PNB અને AXIS બેંકે બદલ્યો નિર્ણય, ગ્રાહકોને થશે નુકસાન

ટેક્નોલોજી5 mins ago

હવે વ્હોટ્સએપ પર બધું સરળ થઈ જશે! નવા ફીચર બદલી નાખી ગેમ; તમારે પણ જાણવું જોઈએ

Uncategorized54 mins ago

ઘરની પાર્ટી માટે બેસ્ટ છે આ મેંગો મિન્ટ લસ્સી, જાણીલો બનાવાની સરળ રીત

સ્પોર્ટ્સ2 hours ago

ધોનીની IPL 2023ની ફાઈનલ વિકેટ પર પત્ની સાક્ષીની પ્રતિક્રિયા થઈ વાયરલ

સ્પોર્ટ્સ2 hours ago

વિરાટ કોહલી કે સ્ટીવ સ્મિથ કોણ તોડશે પોન્ટિંગ-ગાવસ્કરનો આ રેકોર્ડ?

નેશનલ2 hours ago

પોલીસ પાસે બિલાડીઓ કેમ નથી? દિલ્હી પોલીસે મસ્કને જણાવ્યું હતું

Uncategorized2 hours ago

સુઇ ધાગા પછી મોટા પડદે પાછી ફરશે વરુણ અને અનુષ્કાની જોડી, ફિલ્મના ડિરેક્ટર બનશે એટલી?

સ્પોર્ટ્સ2 hours ago

જો PAK ટીમે વર્લ્ડ કપમાં રમવું હોય તો આપો ગેરંટી… ICCએ લીધું મોટું પગલું

ગુજરાત4 weeks ago

સુદાનમાંથી જ્યારે મોટા દેશો પોતાના લોકોને નીકાળી શકતા ન હતા ત્યારે ભારતે આ કરી બતાવ્યું: PM મોદી

ગુજરાત4 weeks ago

જ્યારે મોટા દેશો ના કરી શક્યા ત્યારે ભારતે સુદાનમાંથી નાગરિકોને બચાવ્યા: PM

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized3 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized3 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized3 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

Uncategorized4 weeks ago

નેલ પેઈન્ટ લગાવતી વખતે ફોલો કરો 7 ટિપ્સ, મિનિટોમાં નેલ પોલીશ જશે સુકાઈ , નખ પણ લાગશે સુંદર

Trending