Astrology News: આર્થિક તંગીથી શું તમે પરેશાન છો? તો ઘરની 5 જગ્યાએ મૂકી દો આ સફેદ ચીજ, તિજોરી રહેશે છલોછલ

admin
2 Min Read

Astrology News: વાસ્તુ શાસ્ત્રમાં આવા કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જે પરિવારની સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વાસ્તુના આ ઉપાયોમાંથી એક છે કપૂરનો ઉપાય. કપૂર એક એવો ઘટક છે જે ઘરના વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. ઘરની આ 5 જગ્યા પર કપૂર રાખવાથી, તિજોરી ધનથી ભરેલી રહેશે.

આ જગ્યાએ કપૂર મૂકી શકો છો

પૂજા સ્થાનમાં કપૂર

વાસ્તુ પ્રમાણે ઘરના પૂજા સ્થાનમાં કપૂર રાખવું સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ સ્થાન પર કપૂર રાખવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે.

બેડરૂમમાં કપૂર રાખો

ઘરના બેડરૂમમાં કપૂરનો ટુકડો રાખવાથી ઘરના લોકોએ માનસિક શાંતિ મળે છે અને સારી ઊંઘ આવે છે.

તિજોરીમાં કપૂરનો ટુકડો રાખો

તમારા ઘરની તિજોરીમાં કપૂરનો નાનો ટુકડો રાખો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

મુખ્ય પ્રવેશ દ્વાર પર કપૂરનો ટુકડો રાખો

ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કપૂરનો ટુકડો રાખવાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓ દૂર રહેશે. આ સાથે તેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જોવા મળશે.

અનાજની ઉણપ નહીં થાય

વાસ્તુ મુજબ રસોડામાં કપૂરનો ટુકડો રાખવાથી ખોરાકને કીડાઓથી રક્ષણ મળે છે. આ સાથે રસોડામાં કપૂર રાખવાના કારણે ખાવા-પીવા અને પૈસાની કમી નથી આવતી.

The post Astrology News: આર્થિક તંગીથી શું તમે પરેશાન છો? તો ઘરની 5 જગ્યાએ મૂકી દો આ સફેદ ચીજ, તિજોરી રહેશે છલોછલ appeared first on The Squirrel.

Share This Article