The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Nov 8, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રીકલ પુલ અપની સફળ સર્જરી થતાં બે બાળકોએ પ્રથમવાર ખોરાકનો સ્વાદ ચાખ્યો, માતા પિતા ગદગદિત થયા
ગુજરાત

સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રીકલ પુલ અપની સફળ સર્જરી થતાં બે બાળકોએ પ્રથમવાર ખોરાકનો સ્વાદ ચાખ્યો, માતા પિતા ગદગદિત થયા

Jignesh Bhai
Last updated: 03/11/2023 4:30 PM
Jignesh Bhai
Share
SHARE

આમ તો ખોરાક લેવાની પ્રક્રિયા સામાન્ય જણાય છે. આપણને અને ખાસ કરીને બાળકો મનભાવાતું ખાવાનું જ પસંદ કરે છે. પણ જ્યારે ખોરાક ખાવાની વાત તો દૂર કોઈ બાળક લાળ પણ ગળી ન શકતું હોય ત્યારે તે બાળક ખોરાક કેવી રીતે લઈ શકે? કલ્પના માત્ર ધ્રુજાવી દેનારી છે. ત્યારે બે બાળકો જન્મજાત રીતે જ આ પ્રકારની બીમારી લઈને જન્મ્યા હતા અને અઢી વર્ષથી કૂઈ જ પ્રકારનો ખોરાક લઈ શકતા નહોતા. અમદાવાદની (Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) આ બંને બાળકોની સફળ સર્જરી થઈ છે અને બંને બાળકોએ પ્રથમવાર ખોરાકનો સ્વાદ ચાખવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, જન્મજાત ખામીને લીધે ખોરાકની નળી યોગ્ય રીતે બની ન હોય ત્યારે બાળક કોઈ જ પ્રકારની વસ્તુ ગળી શકતું નથી. ત્યાં સુધી કે પ્રવાહી પણ લઈ શકતું નથી. કારણ કે, ખોરાકની જે નળી છે તેમાંથી કોઈ ખોરાક કે પ્રવાહી જઈ શકતી નથી. એક સર્વે અનુસાર 3200 બાળકોમાંથી એક બાળક આ પ્રકારની જન્મજાત બીમારી લઈને જન્મે છે. ઇસોફેજલ એટ્રેસિયા કહેવાય છે. આ પ્રકારની બીમારી ધરાવતા બાળકોમાં ફૂડપાઈપ અને વિન્ડપાઈપ પણ અસામાન્ય રીતે એકબીજા સાથે જેડાયેલી હોય છે. માત્ર અન્નનળીના એટ્રેસિયા’ તરીકે ઓળખાતી, દુર્લભ ખામી જેનો વ્યાપ 8% છે તેમાં કુદરતી રીતે કોઈ અન્નનળી કે ફૂડ પાઇપ હોતી નથી પરંતુ તેની જગ્યાએ ગળાથી થોડે નીચે સુધી એક બંધ છેડો તથા જઠર થી થોડે ઉપર સુધી બીજો બંધ છેડો હોય છે જેથી મો દ્વારા લાળ પણ ગળી શકાતી નથી. ભરૂચમાં વિશાલ અને દક્ષાબેન ગોહિલનો પુત્ર સ્મિત આ પ્રકારની બીમારી સાથે જન્મ્યો હતો. જે હાલ અઢી વર્ષનો છે. જ્યારે ભાવનાબેન અને મયૂર પરમારનો દીકરો મિતાંશ પણ ઇસોફેજલ એટ્રેસિયા નામની બીમારી સાથે જન્મ્યો હતો. મિતાનશાની ઉંમર 2 વર્ષ અને 4 મહિના છે તેમજ માતાપિતા સાથે અમદાવાદ ખાતે રહે છે.

સ્મિત અને મિતાંશ જે બીમારીને લઈ જન્મ્યા હતા તેના કારણે આજદિન સુધી અન્નનો એકપણ દાણો લઈ શક્યા નથી. જીવનના પ્રથમ દિવસે જ આ દુર્લભ બીમારીની ખબર પડતા બંને બાળકો ઉપર પ્રાથમિક શસ્ત્રક્રિયા કરી ઇસોફેગોસ્ટોમી એટલે કે અન્નનળીના ઉપરના બંધ ભાગને ખોલી ગળાના બહારના ભાગમાં કાઢવાનુ (લાળ બહાર આવવા માટે ) અને ગેસ્ટ્રોસ્ટોમી એટલે કે જઠરમાં પ્રવાહી ખોરાક સીધો આપવા માટે પેટમાં નળી મુકવા નું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જન્મ બાદથી બે વર્ષ સુધી આ બંને માતાપિતાએ પોતાના બાળકોને ડોક્ટરોની સલાહ મુજબ બાળકને લાળ સતત બહાર આવ્યા કરે અને ભુલથી પણ તેમાં ભરાવો થઇ લાળ શ્વાસનળીમાં ન જાય તેની કાળજી લીધી અને પેટ ઉપર મુકેલી નળી દ્વારા દર બે થી ત્રણ કલાકાના સમયાંતરે દિવસ રાત જોયા વગર ચોક્કસ માત્રામાં પ્રવાહી ખોરાક પોષણ માટે આપતા રહ્યા.

- Advertisement -

20 સપ્ટેમ્બર2023 અને 20 ઑક્ટોબર 2023 ના રોજ, સ્મિત અને મિતાંશને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રિક પુલ અપ નામની નિર્ણાયક સર્જરી કરવામાં આવી. જઠરનો ઉપયોગ કરીને છાતીના હાડકાની પાછળથી અન્નનળીના ઉપરના ખૂલ્લા ભાગ સુધી ખેંચીને નવી ફૂડ પાઇપ બનાવવામાં આવી. આ શસ્ત્રક્રિયા કરનાર ડો. રાકેશ જોષી (વિભાગ ના વડા, બાળ સર્જરી વિભાગ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ), ડો. જયશ્રી રામજી (એસોસિયેટ પ્રોફેસર, બાળ સર્જરી વિભાગ) દ્વારા કરવામાં આવી હતી. એનેસ્થેસિયા ટીમનું નેતૃત્વ ડો. ભાવના રાવલ (પ્રોફેસર) અને ડો. નમ્રતા (એસોસિયેટ પ્રોફેસર) દ્વારા કરવામાં આવ્યુ અને એક જટીલ સર્જરી સફળતાપુર્વક પાર પાડવામાં આવી.

આ સર્જરી વિશે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, જઠરના ભાગને છાતી સુધી ખેંચવા છતા પણ તે સ્વસ્થ રહે તે સુનિશ્ચિત કરવુ એ આ ઓપરેશન માટે સૌથી વધુ પડકારજનક હતુ. સદનસીબે, ઓપરેશન અને તે પછીનો પોસ્ટઓપરેટીવ સમય બંને બાળકોમાં કોઈપણ તકલીફ વિના, સરળતાથી પુરો થયો. ઓપરેશન પછી શરુઆતના સમયમાં બાળકોને પોષણ પૂરું પાડવા માટે નાના આંતરડામાં કામચલાઉ ફીડિંગ ટ્યુબ મૂકવામાં આવી હતી. નવી બનાવેલી અન્નનળી સારી રીતે જોડાય ગઇ છે અને તેમાં રુઝ બરાબર આવી ગઇ છે તેની ખાતરી કર્યા બાદ બંને છોકરાઓને મોઢેથી ખોરાક આપવામાં આવ્યો અને બંને હવે સારી રીતે ખોરાક મોઢેથી લઈ શકે છે.

- Advertisement -

સ્મિત અને મીતાંશએ પ્રથમ વાર ખોરાકનો સ્વાદ કેવો હોય તેની ખબર પડી. તેમના ચહેરા પરના હાવભાવ અને તેમના માતાપિતાનો આનંદ અમૂલ્ય અને અવર્ણનીય હતો! આ સંતોષકારક સર્જરીમાં સામેલ અમારા બધા માટે, એક મહિનાના સમયગાળામાં આ બે સફળતા દિવાળીની વહેલી ભેટ સમાન છે.

You Might Also Like

વિડિયો | ગુજરાતના ગોધરામાં ચોરી કરતા પકડાઈ ગયા પછી એની સાથે શું કર્યું કે લોકો જોતા રહી ગયા

આંગણવાડીમાં હિંદુ બાળકોને નમાઝ પઢાવી, ‘યા હુસૈન’ના નારા લગાવ્યા?

ગુજરાતમાં કરૂણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 6ના મોત; વિડિયો

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સુધી રહેશે આ હવામાન? નવીનતમ અપડેટ

વિદ્યાર્થી પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ, શિક્ષકનું કૃત્ય; શાળામાં અંધાધૂંધી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાત

દેશ માટે મરવાની નહીં, જીવવાની જરૂર છેઃ અમિત શાહ

2 Min Read
ગુજરાતસુરત

સુરત બિલ્ડીંગ અકસ્માતમાં મોટી કાર્યવાહી, માતા-પુત્ર સામે FIR; ઘણા મોટા ખુલાસા

3 Min Read
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કયા જિલ્લાઓમાં ચેતવણી? 4 દિવસની સ્થિતિ

2 Min Read
ગુજરાત

નીલગાયનો શિકાર કરવો પડ્યો મોંઘો, 2 સિંહણ કૂવામાં પડી, 1નું મોત

2 Min Read
ગુજરાત

70% મત મેળવીને જીત્યા માત્ર સાત સાંસદો, બધા જ ભાજપના; કોણ છે તે 7 મોટા નામ?

2 Min Read
ગુજરાત

ગેમિંગ ઝોન પર બુલડોઝર કેમ ન ચાલ્યું? આગની ઘટના પર હાઈકોર્ટ નારાજ

2 Min Read
ગુજરાત

જામનગરના અનેક વિસ્તારોમાં કોલેરા ફેલાયો, પરિસ્થિતિને કાબુમાં લેવા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા

2 Min Read
ગુજરાત

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! ગુજરાત સરકારે ડીએમાં કર્યો વધારો

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel