સુરત : નાના વરાછા ઢાળ ખાતે બબાલ

admin
1 Min Read

નાના વરાછા ઢાળ ઓવરબ્રિજ નીચે રેનબસેરામાં રહેતા દેવીપૂજકોએ આંતરિક ઝઘડામાં રાહદારીઓ પર પથ્થરમારો કરતા ધીંગાણું સર્જાયું હતું. આ બનાવમાં કાપોદ્રા પોલીસે 15 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી પાંચ દેવીપૂજકની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નાના વરાછા ઢાળ ઓવરબ્રિજ નીચે રહેતા દેવીપૂજક રાત્રે આંતરિક ઝઘડામાં રાહદારીઓ પર પથ્થરમારો કરતાં ધીંગાણું સર્જાયું હતું અને તેમાં કેટલાક રાહદારીઓને ઈજા પણ થઈ હતી. તે પૈકી ઇજાગ્રસ્ત રાહદારી પંકજભાઈ કાતરીયાએ આ બનાવમાં 15 વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવ્યો હતો. કાપોદ્રા પોલીસે પાંચ વ્યક્તિ બાબુભાઈ કેશુભાઈ સોલંકી, ધરમશીભાઈ વિઠ્ઠલભાઈ ચુડાસમા અને તેમના ત્રણ પુત્રો કિશોર, સુરેશ અને કિશનને સ્થળ ઉપરથી ઝડપી લીધા હતા. તે પૈકી બાબુભાઈ અને ધરમશીભાઈ દારૂ પીને નશો કરેલી હાલતમાં હોય કાપોદ્રા પોલીસે તેમના વિરુદ્ધ અલગ ગુનો નોંધ્યો હતો.

Share This Article