સુરત શહેરના શાસકો દ્વારા શહેરીજનોની વિવિધ પ્રશ્નોના ફરિયાદમાં માટે મેયર ડેશબોર્ડની રચના કરવામાં આવી છે. ડેશ બોર્ડ ઉપર આવતી ફરિયાદ ઉપર સુરત શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા દ્વારા મોનિટરિંગ કરાશે. જે પણ ફરિયાદ મળે તે ફરિયાદને ઝડપથી ઉકેલ લાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે. શહેરીજનો પોતાની વિસ્તારની પ્રાથમિક સુવિધા અંગેની કોઈપણ ફરીયાદ હશે તો ટોલ ફ્રી નંબર મારફતે નોંધાવી શકશે. ચોમાસુ શરૂ થવાને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કામાં મોનસુન સંબંધિત ફરિયાદો લેવામાં આવશે અને તેનો ઉકેલ લાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. ચોમાસા દરમિયાન મહદંશે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઓ વધી જતી હોય છે.

તેમ જ ઘણી વખત ડ્રેનેજના પાણીના કારણે સોસાયટીઓમાં પ્રદૂષિત પાણીનો ભરાવો થતો હોય છે. તેમજ પુરપાટ પવન સાથે આવતા વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાયી થતા હોય છે આવી તમામ બાબતો અંગેની માહિતી ટોલ ફ્રી નંબર મારફતે નોંધાવાની રહેશે જે ડેશબોર્ડ પર દેખાશે અને ત્યારબાદ તેનું મોનિટરિંગ કરીને ઉકેલ લાવવામાં આવશે. ડેશબોર્ડ મારફતે મોનીટરીંગ ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવશે. કયા ઝોનમાં કઈ ફરિયાદ આવી રહી છે. સૌથી વધુ કઈ ફરિયાદો કયા બાબતની છે. જેમ કે સ્ટ્રીટલાઈટ, વરસાદી પાણી, બિસ્માર રસ્તાઓ વગેરે જેવી અલગ અલગ હોવાની ફરિયાદો ઉપર કામ થશે. બીઆરટીએસ બસ સેવા, સિટી બસ સેવા, ડ્રેનેજ સિસ્ટમ અંગે, વોટર સપ્લાય ડોર ગાર્બેજ સેવા જેવી વિવિધ સુવિધાઓ આ અંગે કોઇ પણ ફરિયાદ હોય તો મેયર ડેશબોર્ડ પર નોંધાશે. આ ઉપરાંત વ્હિકલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ આ અંગે દરેક ઝોનમાં રોજની આવક વિશેની પણ માહિતી ડેશબોર્ડ પર આપવામાં આવશે.
