બ્રિજ સિટીની ઓળખ ધરાવતા સુરત શહેરમાં 115મો અને તાપી નદી પરના 14મા પાલ-ઉમરા બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. અંદાજે 10 લાખ લોકોને આ બ્રિજનો ફાયદો થશે. 90 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજને તૈયાર થતાં 16 વર્ષ લાગી ગયા. 2005માં ઉમરા ગામથી પાલ ગામને જોડતો રિવર બ્રિજ બનાવવા નિર્ણય કરાયો હતો. ભાઠા-ઇચ્છાપોર અને હજીરાને પણ આ બ્રિજનો લાભ મળશે. તેમજ અઠવાલાઇન્સ અને પીપલોદ વિસ્તારનું અંતર ઘટશે.
ડુમસ અને પીપલોદમાં અવર-જવર કરતા અંદાજે 10 લાખ લોકોને આ બ્રિજનો લાભ થશે.2005માં ઉમરા ગામથી પાલ ગામને જોડતો રિવર બ્રિજ બનાવવા નિર્ણય કરાયો હતો. 2006માં શહેરનું હદ વિસ્તરણ થતા નદી પારના પાલ વિસ્તારનો સુરત શહેરમાં સમાવેશ કરાયો આ પછી આ બ્રિજને બીઆરટીએસ ફેઝ-2 પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો હતો. ત્યારબાદ 2014માં આ બ્રિજના નકશા તૈયાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટેન્ડર મંગાવાયું હતું. 90 કરોડના ખર્ચે 2015માં ટેન્ડર મંજૂર કરાયું હતંુ.