ગલેમંડી નાગોરીવાડ ટ્રસ્ટની મિલકત મામલે ભાડુતો સાથે ટ્રસ્ટીઓનું અમાનવીયતા નો આક્ષેપ, છેલ્લા ઘણાં વર્ષોથી ચાલી રહેલા ટ્રસ્ટની મિલકત બાબતે ભાડુઆતો સાથે ના વિવાદ માં મિલકતો સીલ કરતા પરિવારો રસ્તા ઉપર આવી ગયા.
શહેરના ગલેમંડી નાગોરીવાડ ટ્રસ્ટની મિલકતમાં રહેતા સફીયોદ્દીન શેખે જણાવતા કહ્યું હતું કે વકફની મિલ્કતોના હિસાબ માંગવા માટે RTI કરી હતી. RTI મંગવામાં આવતા ટ્રસ્ટીઓ દ્વારા કિન્નખોરી રાખી મિલકતો ખાલી કરાવી હોવાના આક્ષેપ કર્યા છે. વધુમાં ટ્રસ્ટના ભાડુઆતો શું કહે છે આવો જાણીએ..