સુશાંતસિંહ રાજપૂતનો વિસરા રીપોર્ટ આવ્યો સામે, થયો આ ખુલાસો …

admin
1 Min Read

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના 15 દિવસ બાદ પણ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે. પોલીસે આ આત્મહત્યા કેસમાં અત્યાર સુધી 28 લોકોના નિવેદન નોંધ્યા છે. ત્યારે આ દરમિયાન સુશાંતસિંહ રાજપૂતની વિસરા રીપોર્ટ પણ સામે આવ્યો છે.

આ રીપોર્ટમાં તેના મોતને લઈ કેટલાક ખુલાસા પણ થયા છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ સુશાંતના શરીરના શરીરમાં કોઈપણ પ્રકારનું ઝેરી પદાર્થ અથવા કેમિકલ મળ્યુ નથી.

આ રીપોર્ટને મુંબઈની જેજે હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ વિસરા રીપોર્ટને મુંબઈની જેજે હોસ્પિટલમાં વધુ તપાસ અર્થે મોકલવામાં આવ્યો હતો.

રીપોર્ટમાં જણાવાયું છે કે, સુશાંતસના મોત પહેલા કોઈપણ સંઘર્ષ થયાના સંકેત મળ્યા નથી. અભિનેતાના નખમાંથી પણ કંઈ મળ્યુ નથી. આપને જણાવી દઈએ કે, સુશાંતના પોસ્ટમોર્ટમનો ફાઈનલ રીપોર્ટ ગત સપ્તાહે આવી ગયો હતો, જેમાં જણાવાયુ હતું કે સુશાંતનું મોત ગળેફાંસો ખાવાથી શ્વાસ રુંધાવાના કારણે થયુ હતું. જોકે મુંબઈ પોલીસ આ હાઈપ્રોફાઈલ આત્મહત્યા કેસમાં હાલ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે.

Share This Article