થરાદ કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

admin
1 Min Read

થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. ત્યારે આજે થરાદમાં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયને કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ પ્રમુખ અને થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસ પ્રભારી સિધ્ધાર્થ પટેલના હસ્તે ખુલ્લું મૂક્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસ દ્વારા જાહેર સભાને સંબોધવામાં આવી હતી. જેમાં બનાસકાંઠાના કોંગ્રેસના દાંતા, ધાનેરા, વાવ, દિયોદર અને પાલનપુરના ધારસભ્યો સહિત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. થરાદ પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે. ભાજપના જીવરાજ પટેલ અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત વચ્ચે જંગ છે. ત્યારે બંને ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરાયા છે.

Share This Article