કોંગ્રેસના નેતાની તબિયત લથડતા વેન્ટિલેટર પર રખાયા

admin
1 Min Read

કોરોના પોઝિટિવ કેસ રાજ્યમાં વધી રહ્યા છે ત્યારે રાજકીય નેતાઓ પણ કોરોનાના કહેરથી બચી નથી શક્યા. બે દિવસ પહેલા  બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજે અચાનક તેમની તબિયત લથડી હોવાની જાણકારી સામે આવી છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે એસવીપીમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.  એસવીપીના ડોકટરો દ્વારા તેમની વધુ સારવાર કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે, કોંગ્રેસના જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ બદરૂદ્દીન શેખનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તેમને એસવીપીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને આજે અચાનક શ્વાસ લેવામાં વધુ તકલીફ પડતી હોવાના કારણે વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

એએમસીના પૂર્વ નેતા વિપક્ષ અને કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખને SVP હોસ્પિટલમા વેન્ટીલેટર પર રખાયા છે. બદરુદિનની તબિયતને લઇ ડોકટરો દ્વારા સારવાર વધારાઈ છે. સુત્રો દ્વારા હાલ તેમની તબિયત સુધારા પર હોવાનુ જાણવા મળ્યુ છે.

Share This Article