કોરોના વાયરસ એ ડુંગળી વાવતા ખેડૂતોને રડાવ્યા

admin
1 Min Read

કોરોના વાયરસ એ ડુંગળી વાવતા ખેડૂતોને રડાવ્યા છે. આમ તો ઉનાળાની આ સિઝનમાં ડુંગળીનો પાક તૈયાર થઇ જતો હોય છે અને ખેડૂતો તેમને વહેંચતા પણ હોય છે.

જો કે આ વર્ષે ડુંગળીનો પાક તૈયાર થઇ ગયો છે.  એમનો ભાવ ખુબ જ નજીવો મળી રહ્યો છે.  હાલ કિલો ડુંગળીનો ભાવ ચારથી પાંચ રૂપિયા છે.  જે ઉત્પાદન ખર્ચ કરતાં પણ ખૂબ જ ઓછો છે.  આવા સમયે ડુંગળી વાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

જોકે ખોટ ખાઈને ડુંગળી વેચવાના બદલે મોવિયા પંથકના ખેડૂતોએ દેશી પદ્ધતિથી સંગ્રહ કરવાનું વધારે પસંદ કર્યું છે.  ઓઘો નામની આ દેશી પદ્ધતિથી ખેડૂતો ડુંગળીનો સંગ્રહ કરી રહ્યા છે.  આ દેશી પદ્ધતિથી સંગ્રહ કરવામાં ખેડૂતોને ભારે મહેનત કરવી પડે છે.

આખો દિવસ તનતોડ મહેનત કર્યા બાદ ઓઘો નામની દેશી પદ્ધતિથી ખેડૂતો જમીનમાં આ ડુંગળીનો સંગ્રહ કરી શકે છે.  જોકે એમાં પણ કમોસમી વરસાદનો ખતરો તો મંડાયેલો રહે છે.  ડુંગળી વાવતા ખેડૂતોનું કહેવું છે કે સરકારે આ બાબતે મદદ કરવી જોઈએ.

Share This Article