હાલોલ શહેરના મુખ્ય તળાવ માંથી લાશ મળતા ચકચાર

admin
1 Min Read

હાલોલ શહેરની મધ્યમાં આવેલા મુખ્ય તળાવમાંથી બુધવારના રોજ એક યુવકની લાશ તરતી દેખાતા હાલોલ તળાવ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવ  અંગેની જાણ હાલોલ પોલીસ તથા હાલોલ ફાયર ફાઈટરને કરવામાં આવતા ઘટના સ્થળ ઉપર પહોંચી લાશને પાણીમાંથી બહાર કાઢી તપાસ કરતા હાલોલ બાદશાહ બાવાની દરગાહ નજીક રહેતા ૩૨ વર્ષીય રાજુભાઈ રામસિંહ નાયકની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ બુધવારના રોજ હાલોલ શહેરની મધ્યમાં આવેલ મુખ્ય તળાવમાં એક અજાણ્યા પુરૂષની લાશ તરતી જોવા મળી હતી. આ વાત વાયુવેગે શહેરમાં ફેલાતા તળાવ ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવ અંગેની જાણ હાલોલ શહેર પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી લાશને પાણી માંથી બહાર કાઢી તપાસ કરતા હાલોલ બાદશાહ બાવાની દરગાહ નજીક રહેતા રાજુભાઈ રામસિંહ નાયક ઉ.વ.૩૨ની હોવાનું બહાર આવ્યું હતું. રાજુભાઈ નાયક બે દિવસ પહેલા ઘરેથી કહ્યા વગર જતા રહ્યા હતા તેના પરિવારજનો દ્વારા બે દીવસથી તેની શોધખોળ આદરવામાં આવી હોવા છતાં મળી આવેલ નહીં જે બાદ બુધવારના રોજ રાજુભાઈ નાયકના પરિવારજનોને તળાવમાંથી લાશ મળી હોવા અંગેની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તપાસ કરતા આ લાશ રાજુભાઈ રામસિંહ નાયકની હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યુ હતું.

 

Share This Article