નાનપુરામાં ચોરી થઈ હોવાની વાતથી યુવકને લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો હતો.સિંગલ કાઢીના યુવકને પોલીસે ઢોર માર માર્યા હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે, હાલ યુવાન નવી સિવિલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે , નાનપુરા મક્કાઇ પુલ નજીકથી અઠવા પોલીસે વાહન ચોરીના કેસમાં શંકાસ્પદ હાલતમાં પકડેલા મુસ્લિમ યુવાનની તબિય લથડ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાન હાલ સુરત સિવિલ હોસ્પિટલમાં ICUમાં મોત સામે ઝઝૂમી રહ્યો છે. શુક્રવારની મળસ્કે 3:55 વાગ્યે હોસ્પિટલ લવાયો ત્યારે મોહમ્મદ અસફાક અસલમ શેખે મેડિકલ ઓફિસર ને જણાવ્યું હતું કે, 20 લોકોએ મને દંડાથી માર્યો છે. ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, અસફાકના છાતી, પીઠ, ખભા અને હાથ પર ઇજા ના નિશાન હતા. અને અસફાકે જણાવ્યું હતું કે, માથામાં ભાગે પણ તેને માર વાગ્યો હતો.