જન્માષ્ટમીના દિવસ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થાય છે. આને ફક્ત ભારતમાં જ નહિ પણ વિદેશમાં રહેતા અને કૃષ્ણમાં આસ્થા રાખતા લોકો પર આ ફેસ્ટીવલને ધામધૂમ અને ઉલ્લાસથી મનાવે છે. આ હિંદુ ઘર્મના મોટા તહેવારો માંથી એક છે. આ દિવસે કૃષ્ણની જન્મભૂમિ ‘મથુરા’ માં પણ લોકો દર્શન કરવા જાય છે. આ પાવન દિવસે લોકો ઉપવાસ કરે છે અને રાત્રે ઠીક ૧૨ વાગે મંદિરમાં કૃષ્ણનો અભિષેક થાય છે અને પંચામૃત ગ્રહણ કરીને ભક્તો પોતાનો ઉપવાસ ખોલે છે. હિન્દુ ધર્મમાં દરેક તહેવારોનું આગવું મહત્ત્વ છે. આથી જ તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે “ ઉત્સવ . પ્રિય ખલુ મનુષ્યા’ ત્યારે હાલમાં જન્માષ્ટમીને લઈ ગોવિંદાઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ બજારમાં જન્માષ્ટમીની ખરીદી કરવા લોકો કૃષ્ણની મૂર્તિ, ડ્રેસ, સંગાર માટેના ડાયમંડની ખરીદી કરવા ભીડ જોવા મળે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -