નર્મદા
શ્રાવણ માસનો અનેરો મહિમા

Published
4 years agoon
By
admin
ધાર્મિક દૃષ્ટિએ અનેરો મહત્વ ધરાવતા શ્રાવણ માસમાં સવા લાખ માટીના ચિંતામણિ બનાવી શિવજીને ચઢાવવાની પ્રથા આજે પણ ખૂબ પ્રચલિત છે. પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન કરવા માટે જંગલમાં જઈ સવા લાખ ચિંતામણીનું તપ કર્યું હોવાની વાત પ્રચલિત છે. શ્રી રામ ભગવાને પણ તેમના અજ્ઞાત વર્ષમાં શિવજીને પ્રસન્ન કરવા પાર્થેશ્વર ચિંતામણીનું તપ કર્યું હતું. આ પ્રયોગ ને શિવ પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગ કહેવાય છે. હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનો અનેરો મહિમા છે. આ મહિનામાં તપ અને ઉપાસના કરવાથી શિવજી પ્રસન્ન થાય છે માટે શિવ ભક્તો આ મહિનાના દર સોમવારે શિવાલયોમાં જઈ શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે. કહેવાય છે કે પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન કરવામાટે જંગલમાં જઈ સવા લાખ ચિંતામણીનું તપ કર્યું હતું. જે પરંપરા અનુસાર આજે પણ ભક્તો દ્વારા શ્રાવણ મહિનામાં આ પ્રયોગકરવામાં આવે છે. નમૅદા જિલ્લાના નાદોદ તાલુકાના જીતનગર ગામ પાસે સુંદરપુરા ખાતે આવેલા સુપ્રસિદ્ધ મણીનાગેશ્ર્વર મહાદેવનુ મંદિર આવેલ છે. જે ત્રણસૌ વષૅ પોરાણિક માન્યતા મુજબનુ મંદિર છે આ મંદિરે શ્રાવણ માસમા મોટી સંખ્યામાં ભકતજનો ધસારો હોય છે અને ભક્તોમાં શ્રાવણ માસનો અનેરો મહીમા જોવા મળે છે. આ મંદિરમાં વર્ષોથી શ્રાવણ માસ દરમિયાન રાજસ્થાન ઉત્તર પ્રદેશથી અનેક સાધુ સંતો આવે છે અને શ્રાવણ મહિનામાં દરોજ માંટીના પાંચ હજાર મણિ બનાવવામા આવે છે જેને ચિંતા મણિ કહેવામાં આવે છે.
આખા શ્રાવણ માસ દરમિયાન 1 લાખ જેટલા શિવલિંગ બનાવાય છે. ત્યારબાદ આ પાર્થશ્વર ચિંતામણી શિવલિંગને સિદ્ધ કરી પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસના અંતમાં તેનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે. આ પાર્થેશ્વર શિવલિંગના દર્શને અને નંદીકેશ્વર મહાદેવના દર્શને રોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુ આવે છે તથા આ શિવલિંગને શ્રાવણ માસમાં આવતા વાર પ્રમાણે અલગ અલગ નક્ષત્રમાં બનાવી શિવજીની આરાધના મુકી એની પુજા કરવામાં આવે છે. પુજા કરવાથી ભક્તોની ચિંતા દૂર થાય છે એટલે એને ચિંતા મણી કહેવામા આવે છે. ઉપરાંત એક માન્યતા મુજબ પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન કરવા જંગલમાં જઈને આ તપ કર્યું હતું ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે તેમ વેદોમાં પણ તેનો ઉલ્લેખ છે. ઉપરાંત મંદિરની બાજુમા જે કરજણ નદી વહે છે જે કરગંગા મૈયા નામે ઓળખાવામા આવે છે.
ખાસ કરીને ભક્તો શ્રાવણ માસના પાવન મહીનામા ભગવાનને માટીના મણી બનાવી પૂજાવિધિ કરી માટીના મણી ચઢાવી ધન્યતા મેળવી પોતાની મનો આરાધના પુરી કરવા શ્રાવણીઓ ઉવાસ રાખી આખો મહીનો ભક્તિમાં લીન રહે છે. શિવ પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગ કરનાર કિશોર આમેટા મહારાજ જણાવે છે કે આ પ્રયોગ મનથી કરવાથી તમામ ચિંતા દૂર થાય છે તેમજ પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન કરવામાટે જંગલમાં જઈ સૌપ્રથમ આ પ્રયોગ કર્યો હતો. ત્યારથી સમગ્ર વિશ્વમાં આ પ્રચલિત બન્યો છે. ઉપરાંત જુદા જુદા વાર મુજબ નક્ષત્રો બનાવી શિવજીની આરાધના કરી આ માટીના મણીનું વિસર્જન કરવામાં આવે છે.
You may like
નર્મદા
7 ટર્મથી વિજયી થનાર છોટુભાઈ વસાવાની હાર, ભાજપાના રિતેશભાઇ વસાવાની જીત

Published
3 months agoon
08/12/2022By
admin
આજરોજ રાજ્ય વિધાનસભાની ચુંટણીના પરિણામો જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીએ સતત પોતાની વિજયકુચ જાળવી રાખી છે. ભરૂચ જીલ્લાની પાંચ બેઠકો પૈકીની એકમાત્ર આદિવાસી અનામત ઝઘડિયા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રિતેશભાઇ વસાવાએ તેમના નજીકના હરીફ અપક્ષ છોટુભાઈ વસાવાને ૨૩૫૫૨ જેટલા મતોથી પરાજય આપીને ઝઘડિયા વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો હતો. ઉલ્લેખનીય છેકે બીટીપીના સર્વેસર્વા ગણાતા છોટુભાઈ વસાવા છેલ્લી સાત ટર્મથી ઝઘડિયા બેઠક જીતતા આવ્યા હતા. હાલમાં યોજાયેલ રાજ્ય વિધાનસભાની ચુંટણી દરમિયાન બીટીપી ના અન્ય પાર્ટી સાથેના ગઠબંધનની વાતને લઇને છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશભાઇ વસાવા વચ્ચે વિવાદ સર્જાતા આ ચુંટણીમાં છોટુભાઈ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરી હતી.
અત્રે નોંધનીય છેકે ગત તાલુકા જીલ્લા પંચાયતોની ચુંટણી અગાઉ છોટુભાઈ વસાવાના નજીકના ગણાતા પ્રકાશભાઇ દેસાઇ અને રિતેશ વસાવા તેમના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા હતા. ત્યારબાદ ભાજપાએ ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકા પંચાયતો પણ કબજે કરી લીધી હતી. હાલની ચુંટણી અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં ચુંટણી સભા સંબોધી હતી. ઝઘડિયા વિધાનસભા બેઠક પર વર્ષોથી આધિપત્ય જાળવી રાખનાર છોટુભાઈ વસાવાને હાર આપીને ભારતીય જનતા પાર્ટીએ પ્રતિષ્ઠિત ગણાતી ઝઘડિયા બેઠક કબજે કરી લીધી હતી. વિજયી ઉમેદવાર રિતેશ વસાવાના સમર્થકોમાં આનંદનું મોજુ ફેલાયુ હતું. સર્વત્ર ઝઘડિયા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિજયની ખુશી મનાવતા નજરે પડ્યા હતા. વિજયી ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યુ હતુ જેમાં કાર્યકરો ઉત્સાહમય વાતાવરણ વચ્ચે ઐતિહાસિક વિજયનો આનંદ લેતા નજરે પડતા હતા.
નર્મદા
નાંદોદમાં કેસરીયો અને ડેડિયાપાડામાં ઝાડુ; બંને ઉમેદવારો 20 હજારથી વધુની લીડથી આગળ

Published
3 months agoon
08/12/2022By
admin
ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નર્મદાની 2 બેઠકોની મતગણતરી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હવે પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ હવે EVMની મતગણતરી શરૂ કરવામાં આવી છે. નર્મદાની નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ 22 હજાર 254 મતોના જંગી લીડથી આગળ ચાલી રહ્યાં છે. જ્યારે ડેડિયાપાડા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવા 21745 મતોથી આગળ ચાલી રહ્યાં છે. બંને બેઠકોમાં એક બેઠક પર ભાજપ અને બીજી બેઠક પર આપના ઉમેદવારની જીત નિચ્છિત દેખાઈ રહી છે.
બારમાં રાઉન્ડના અંતે નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ 21 હજાર 554 મતથી આગળ ચાલી રહ્યાં છે. ત્રીજા રાઉન્ડના અંતે ડેડિયાપાડામાં ચૈતર વસાવા 2594 મતોથી આગળ. નાંદોદમાં ત્રીજા રાઉન્ડના અંતે હજી પણ ભાજપ ઉમેદવાર દર્શના દેશમુખે લીડ જાળવી રાખી. નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે.
નર્મદા જિલ્લામાં કુલ 4 લાખ 57 હજાર 880 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 3 લાખ 59 હજાર 66 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની બંને બેઠકો પર સરેરાશ 78.42 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 80.67 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.25 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.
નર્મદા
નર્મદા: બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કોંગ્રેસનો ક્યાંક નામોનિશાન નહીં

Published
3 months agoon
08/12/2022By
admin
ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નર્મદાની 2 બેઠકોની મતગણતરી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હવે પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ હવે EVMની મતગણતરી શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે.
જિલ્લામાં સરેરાશ 78 ટકા મતદાન થયું હતું
નર્મદા જિલ્લામાં કુલ 4 લાખ 57 હજાર 880 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 3 લાખ 59 હજાર 66 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની બંને બેઠકો પર સરેરાશ 78.42 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 80.67 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.25 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.
કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં મતગણતરી થશે?
નાંદોદ બેઠકની મતગણતરી 14 ટેબલ પર 22 રાઉન્ડમાં થશે. જ્યારે ડેડિયાપાડા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 23 રાઉન્ડમાં હાથ ધરાશે. જિલ્લાની 2 બેઠકોની મતગણતરી કુલ 28 ટેબલ પર 45 રાઉન્ડમાં હાથ ધરાશે. નાંદોદમાં 155 જેટલાં તેમજ ડેડિયાપાડામાં 155 જેટલા અધિકારીઓ/કર્મચારીઓને મતગણતરીની કામગીરીમાં તૈનાત કરાશે. પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા સિક્યુરિટી પ્લાન મુજબ જરૂરી પોલીસ, CAPF, CRPF, પોલીસ આધિકારીઓ 400 જેટલા ગોઠવવામાં આવેલા છે.
ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે. તો નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે.

વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમને આપી ખાસ ભેટ, જાણો તેના વિશે; વિદેશ સચિવે આ વાત કહી

77 વર્ષથી કરી બોડી બિલ્ડીંગ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ, 90 વર્ષની ઉંમરે પણ અદભૂત ફિટનેસ

જીમમાં જનારા ડોગ ફૂડ કેમ ખાય છે? તેની પાછળનું કારણ ખૂબ જ વિચિત્ર છે

PM મોદી પર ટિપ્પણી: પવન ખેડા સામેના તમામ કેસ લખનૌ ટ્રાન્સફર, વચગાળાના જામીન 10 એપ્રિલ સુધી લંબાયા

કેરળને મળી તેની પ્રથમ ટ્રાન્સજેન્ડર વકીલ, પદ્મા લક્ષ્મીએ એક ઉદાહરણ સેટ કર્યું

ગુજરાતની ફરી ધ્રૂજી ધરતી, કચ્છ જિલ્લામાં આટલી તીવ્રતાનો આવ્યો ભૂકંપ

દર મહિને 3000 રૂપિયા, 2.5 લાખ નોકરીઓ અને 10 લાખ નોકરીઓ; રાહુલ ગાંધીએ કર્ણાટકના યુવાનોને વચન આપ્યું

મેચ દરમિયાન યુવકને આવ્યો હાર્ટ એટેક, ક્રિકેટ ગ્રાઉન્ડમાં 45 દિવસમાં 8મું મોત

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

ભૂકંપ પ્રભાવિત તુર્કીથી સ્વદેશ પરત આવેલી સેનાની મેડિકલ ટીમનું સ્વાગત, આર્મી ચીફે કર્યા ખુબ વખાણ

સગીરને ‘આજા આજા’ કહેવું જાતીય સતામણી છેઃ મુંબઈ કોર્ટ

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

સુરતમાં ગણેશોત્સવમાં પીવાયો દારુ

ગણેશ સ્થાપના નિમિત્તે કરંટ લાગવાની ઘટના

સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં ગોટાળો

પેરીસમાં મોદીનું ભારતીય સમુદાયનું સંબોધન

ગુજરાતની 2000 રાજપુતાણીઓએ એક સાથે તલવાર રાસ રમ્યો

કેન્દ્રિય ખેલમંત્રી કિરણ રિજિજુએ વિચિત્ર વીડિયો કર્યો શૅર

વરસાદી માહોલમાં ડાંગનું સૌંદર્ય ખીલ્યું

ફૂડની આડમાં દારૂ-બીયરની પણ ડિલીવરી
Trending
-
Uncategorized4 weeks ago
પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી
-
Uncategorized3 weeks ago
ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો
-
ગુજરાત4 weeks ago
ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?
-
Uncategorized3 weeks ago
પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત
-
Uncategorized3 weeks ago
વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી
-
Uncategorized4 weeks ago
ભૂકંપ પ્રભાવિત તુર્કીથી સ્વદેશ પરત આવેલી સેનાની મેડિકલ ટીમનું સ્વાગત, આર્મી ચીફે કર્યા ખુબ વખાણ
-
ગુજરાત4 weeks ago
સગીરને ‘આજા આજા’ કહેવું જાતીય સતામણી છેઃ મુંબઈ કોર્ટ
-
Uncategorized3 weeks ago
ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે