આયશા આપઘાત કેસમાં ચોંકાવનારી વિગતો આવી સામે….મહિલા મિત્ર સાથે આરીફ કરવા માંગતો હતો લગ્ન

admin
1 Min Read

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી આયશા આપઘાત કેસમાં વીડિયો વાયરલ થયા બાદ આ બનાવ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તો આ બનાવ બાદ આયશાના પરિવારજનોની મદદે પણ અનેક લોકો  સામે આવ્યા છે.

આયશાના પિતાએ પણ બીજી કોઈ યુવતી સાથે આવું ન બને તે માટે તમામ લોકોને આગળ આવવા અને સરકારને આયશાને ન્યાય મળે તે માટે અપીલ કરી છે.  તો બીજીબાજુ આ મામલે નવી ચોંકાવનારી વિગત આયશાના પતિને લઈને સામે આવી છે.

આયશાના પિતા લિયાકતભાઈના વકીલનું કેહવું છે કે આયશાનો પતિ આરીફ તેને ખુબ જ ત્રાસ આપી રહ્યો હતો અને તેની સામે મહિલા મિત્ર સાથે વાત કરતો હતો. એટલુ જ નહીં આરીફે પોતાની મહિલા મિત્ર સાથે લગ્ન કરવા સુધીની પણ તૈયારી કરી લીધી હતી જેથી તે અવાર નવાર આયશાને ઘરથી કાઢવા દબાણ કરતો હતો. આયશાનો પતિ અન્ય સ્ત્રી સાથે પ્રેમમાં હતો અને આયશા સામે જ તેની સાથે વાતો કરતો હતો. મહત્વનું છે કે, ગત ગુરુવાર ના રોજ આયશાએ સાબરમતી રીવરફ્રન્ટ પર નદીમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતું.

Share This Article