આજે સમગ્ર દેશની નજર લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થવા ઉપર છે

Jignesh Bhai
5 Min Read

આજે બપોરે 3 વાગ્યે ચૂંટણી પ્રેસ કોન્ફરન્સ થશે જેમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. 

● સામાન્ય રીતે આજે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ચૂંટણીની આચારસંહિતા પણ લાગુ થઈ જશે.
જેમાં  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માટે તમામ ચૂંટણીઓ આચારસંહિતા લાગુ પડે છે. 
2024ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ આદર્શ આચાર સંહિતા અમલમાં આવશે જેનું તમામે પાલન કરવું પડશે.

●આચાર સંહિતા એટલે શું ?

 ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું આયોજન થાય ત્યારે એક આચાર સંહિતા લાગુ કરવામાં આવે છે, જેની મદદથી ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને મુક્ત રીતે થઈ શકે છે. 
આદર્શ આચારસંહિતા એટલે કે ચૂંટણી પંચની સૂચનાઓ જેનું દરેક પક્ષે ચૂંટણીના અંત સુધી પાલન કરવાનું હોય છે.
જેમાં કેટલાક નિયમો લાગુ કરવામાં આવે છે, જેનું રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાલન કરવાનું હોય છે જે ચૂંટણીના સમાપન સુધી ચાલુ રહે છે.

●આચારસંહિતાના ઉલ્લંઘન કરવામાં  આવે તો શું થાય ?

જો કોઈપણ રાજકીય પક્ષ અથવા રાજકીય પક્ષના કોઈપણ ઉમેદવાર આચાર સંહિતાનું પાલન ન કરે તો તેની સામે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. 
નિયમોનું ઉલ્લંઘન કરનારા ઉમેદવારને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરી શકાય છે અને ફોજદારી કેસ પણ થઈ શકે છે, જેલ પણ થઈ શકે છે.

●રાજકીય બેઠકો સંબંધિત નિયમો

– પોલીસ અધિકારીઓને મીટિંગના સ્થળ અને સમય વિશે અગાઉથી માહિતી આપવી પડે છે.

– સભા સ્થળે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી મેળવવાની રહે છે. 

– પક્ષો અથવા ઉમેદવારોએ અગાઉથી ખાતરી કરવાની રહેશે કે તેઓએ પસંદ કરેલ સ્થાન પર પ્રતિબંધ છે કે નહી

– સભા આયોજકોએ વિક્ષેપ પાડનારાઓ વિરોધની કાર્યવાહી દરમિયાન પોલીસને મદદ કરવાની રહેશે 

●શાસક પક્ષ માટે નિયમો
– મંત્રીઓએ સત્તાવાર પ્રવાસ દરમિયાન ચૂંટણી પ્રચાર ન કરી શકાય.

– કામ માટે સરકારી મશીનરી અને કર્મચારીઓનો ઉપયોગ કરવો નહી
– સરકારી વિમાનો અને વાહનોનો ઉપયોગ પક્ષના હિતોને પ્રોત્સાહન આપવા માટે થવો જોઈએ નહી
– હેલિપેડ પર ઈજારો ન રાખવો
– રેસ્ટ હાઉસ, પોસ્ટ બંગલો કે સરકારી રહેઠાણો પર પણ કોઈ ઈજારો ન રાખવો
– તેમજ આ જગ્યાઓનો ઉપયોગ પ્રચાર કાર્યાલય માટે ન કરવો
– સરકારી નાણા પર કરેલા કામની સિદ્ધિની જાહેરાત કરવાની નહી
– મંત્રીઓ જ્યારે સર્કિટ હાઉસમાં રોકાશે ત્યારે તેમની સત્તાવાર મુલાકાતો પર ગાર્ડ તૈનાત કરવામાં આવશે
– કેબિનેટ બેઠક યોજવી નહી
– ટ્રાન્સફર અને પોસ્ટિંગના કિસ્સામાં કમિશનની પૂર્વ મંજૂરી જરૂરી છે
અધિકારીઓ માટે નિયમો
– સરકારી નોકરો કોઈપણ ઉમેદવારના ચૂંટણી, મતદાર કે કાઉન્ટિંગ એજન્ટ બની શકશે નહીં.
– પ્રવાસ દરમિયાન મંત્રી ખાનગી નિવાસસ્થાને રોકાશે તો અધિકારીઓ દ્વારા બોલાવવા છતાં પણ તેઓ ત્યાં જશે નહી
– અધિકારીઓએ ચૂંટણીના કામ માટે જતા મંત્રીઓની સાથે જવું નહી
– જેમની ડ્યુટી હશે તેમના સિવાય કોઈપણ સભા કે અન્ય રાજકીય કાર્યક્રમમાં ભાગ લઇ શકે નહી
– રાજકીય પક્ષોને બેઠકો માટે જગ્યા આપતી વખતે કોઈ ભેદભાવ રાખવો નહી
●સામાન્ય નિયમો
– જ્ઞાતિઓ અને ધાર્મિક અથવા ભાષાકીય સમુદાયો વચ્ચે મતભેદ વધે અથવા નફરત ફેલાય તેવું કોઈપણ પક્ષે કરવું નહી
– રાજકીય પક્ષોની ટીકા માત્ર કાર્યક્રમો અને નીતિઓ સુધી સીમિત હોવી જોઈએ, અંગત નહી
– ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે પ્લેટફોર્મ તરીકે ઉપયોગ ન કરવો 
– મત મેળવવા માટે  લાંચ આપવી, મતદારોને હેરાન કરવા વગેરે જેવો ભ્રષ્ટાચારનો કરવો નહી
– માલિકની પરવાનગી વિના કોઈની દિવાલ, યાર્ડ અથવા જમીનનો ઉપયોગ કરવો નહી.
– કોઈપણ પક્ષની સભા કે સરઘસમાં અવરોધ ન કરવો
– રાજકીય પક્ષો કોઈની ધાર્મિક અથવા જ્ઞાતિની લાગણીઓને ઠેસ પહોંચાડે તેવી કોઈ અપીલ જારી કરવી નહી
રેલી અંગેના નિયમો શું છે?
– રેલીનો સમય, શરૂ ક્યાંથી થશે, રૂટ અને સમાપ્તિનો સમય અંગે પોલીસને જાણ કરવી
– રેલીની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે ટ્રાફિકને અસર ન થાય
– જો રાજકીય પક્ષો એક જ દિવસે અને તે જ રૂટ પરથી રેલી કાઢવાનો પ્રસ્તાવ મૂકે તો પહેલા સમયની ચર્ચા કરી લેવી
– રસ્તાની જમણી બાજુએથી રેલી કાઢવાની રહેશે 
– રેલીમાં દુરુપયોગ થઈ શકે એવી કોઈ જ વસ્તુનો ઉપયોગ કરવો નહી
મતદાન દિવસ સંબંધિત નિયમો
– અધિકૃત કાર્યકર્તાને ઓળખ કાર્ડ આપવું
– મતદારોને આપવામાં આવેલી સ્લીપ સાદા કાગળ પર હોવી જોઈએ અને તેમાં કોઈ પણ ચિહ્ન, ઉમેદવાર અથવા પક્ષનું નામ ન હોવું જોઈએ
– મતદાનના દિવસે અને તેના 24 કલાક પહેલા કોઈને પણ દારૂનું વિતરણ ન કરવું 
– મતદાન મથકની નજીક સ્થાપિત કેમ્પમાં ભીડ ન કરવી 
– મતદાનના દિવસે વાહન ચલાવવા માટે પરમિટ મેળવવી પડે.

Share This Article