લોકડાઉન વચ્ચે નેશનલ હાઈવે પરના ટોલપ્લાઝા ધમધમતા થયા છે. તેમજ સરકારના આદેશ મુજબના વાહનોને છૂટછાટ આપવામાં આવી છે. મહત્વનુ છે કે, રાજયભરમાં કોરોના વાયરસના કહેર અને લોકડાઉન વચ્ચે મધરાતથી જ નેશનલ હાઈવે પરના ટોલપ્લાઝા કાર્યરત થવાં પામ્યા છે.
ત્યારે છેલ્લા ઘણાં દિવસથી લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે છેવાડાના ગામડાથી લઈને નેશનલ હાઈવે સુધીના માર્ગો બંધ કરવામાં આવ્યાં હતાં. પરંતું આવશ્ય ચીજની હેરાફેરી, અમૂક ઉદ્યોગો, માર્કેટ યાર્ડ સહિતનાઓને આપેલા ચોક્કસ નિયમોને આધીન છૂટછાટ સાથે લોકડાઉન વચ્ચે સૂમસામ જોવાં મળેલા ટોલપ્લાઝા ફરી કાર્યરત થવાં પામ્યા છે.