દેશભરના ટ્રાન્સપોર્ટરો ઉતરશે આ દિવસથી હડતાલ પર, કરશે ચક્કાજામ

admin
1 Min Read

એકબાજુ જ્યાં દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યાં હવે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે. પોતાની 4 મુખ્ય માંગની સાથે 10 ઓગસ્ટથી દેશ અને પ્રદેશમાં 3 દિવસની હડતાલ રાખવાનું નક્કી કર્યું છે.

(File Pic)

એઆઈએમટીસી આરટીઓ સીમાઓના ચેકપોસ્ટ ખતમ કરવામાં આવે, તેમજ ડીઝલ પર વેટમાં ઘટાડો, રોડ ટેક્સ અને ગુડેસ ટેક્સમાં છ મહિનાની છૂટ અને ડ્રાઈવરના કોરોના વીમા કરાવી આપવામાં આવે તે માંગ સાથે હડતાલ પર ઉતરશે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્પોર્ટ કોંગ્રેસ દિલ્હીના અધ્યક્ષ કુલતરણ સિંગ આટવાલ અને પ્રદેશ વેસ્ટ ઝોનના અધ્યક્ષ વિજય કાલરા સહિત દરેક પદાધિકારીની સહમતિ ચક્કાજામ કરીને હડતાલ નક્કી કરાઈ છે.

(File Pic)

એઆઈએમટીસીના પ્રદેશ ઉપાધ્યક્ષ અજય શર્માએ જણાવ્યું છે કે તમામ કાર્યકારીઓની સહમતિથી સભામાં આ નિર્ણય લેવાયો છે કે અમારા શાસન પ્રશાસને આપેલી 4 માંગને માનવામાં નહીં આવે તો અમે સમસ્ત ટ્રાન્સપોર્ટ્સ 10થી 12 ઓગસ્ટ સુધી 3 દિવસ માટે બંધ કરીશું, આ સાથે ટ્રાફિક જામ પણ કરીશું. ભોપાલ સહિત પ્રદેશમાં 4-5 લાખ ટ્રક, બસ સહિત તમામ નાના વ્યવસાયિક વાહન ચલાવી શકાશે નહીં.

Share This Article