વાઘોડિયાના મુખ્ય બજારમાં ચાલુ વાનમાં આગ લાગતા ધ બર્ની઼ગ વાન જેવા દ્રશ્યો સર્જાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયાના મુખ્ય બજારમાંથી પસાર થઇ રહેલી એક વાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી. વાનને આગે ચપેટમાં લેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગને પગલે કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા ભયનો માહોલ સર્જાયો હતો. શોર્ટ સરકીટ કારણે વાનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ચાલક વાનમાંથી કુદી પડતા તેનો આબાદ બચાવ થવા પામ્યો હતો. સદનસીબે કોઇ જાનહાનિ નહી સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વાનમાં લાગેલી આગને દુકાનદારોએ પાણી નો મારો ચલાવી કાબુમાં લીધી હતી. પરંતુ લાગેલી આગમાં વાનને ખુબ મોટું નુકસાન થવા પામ્યું હતું…