ડીસામાં વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કરાયુ

admin
1 Min Read

વિજયાદશમીના દિવસની દેશમાં ઉજવણી થઈ હતી.  ત્યારે ડીસા ખાતે શ્રી રાજપૂત જાગીરદાર ક્ષત્રિય મંચ દ્વારા ત્રણ હનુમાન મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરી ડીસાના જાહેરમાર્ગ પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના નવ દિવસ લોકો માતાજીની ધામધુમથી ગરબા રમી ઉજવણી કરતા હોય છે અને દસમા દિવસે એટલે કે વિજયાદશમી ના દિવસે ક્ષત્રિયો દ્વારા શસ્ત્ર પૂજન નું આયોજન થતું હોય છે. આજના દિવસની સૌથી વધુ મહત્વ કર્ણાટકમાં જોવા મળે છે. ત્યારે ડીસામાં શ્રી રાજપૂત જાગીરદાર ક્ષત્રિય મંચ દ્વારા ડીસાના ત્રણ હનુમાન મંદિર ખાતે શાસ્ત્રોક વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં વસતા ક્ષત્રિય ડીસાના ત્રણ હનુમાન ખાતે શસ્ત્રોના પૂજન ભાગ લીધો હતો. ત્યારબાદ જાગીરદાર  ક્ષત્રિય  સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.   રેલી ડીસાના જાહેરમાર્ગ પર રેલી નીકળી વિજયાદશમીની ઉજવણી કરી હતી.  

Share This Article