યોગી આદિત્યનાથના આવાસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

admin
1 Min Read

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે યોગી આદિત્યનાથના આવાસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાલિદાસ માર્ગ પર સ્થિત બંગલામાં રહે છે. આ પહેલા પણ તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી ચુકી છે. કોલ સેન્ટર પર આવેલ ધમકી બાદ લખનઉના કાલિદાસ માર્ગ પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

સુરક્ષા વધારવાની સાથે સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા મુજબ આ ધમકી ડાયલ 112 પર ફોન કરીને આપવામાં આવી હતી. પોલીસ હાલ એ અંગેની તપાસ કરી રહી છે કે આ ફોન ક્યાંથી અને કોણે કર્યો. ફોન કોલ અંગે જ્યાં સુધી કોઈ માહિતી ન મળે ત્યાં સુધી કાલિદાસ માર્ગની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

Share This Article