Connect with us

મહિસાગર

મહીસાગરમાં ઋતુનો 134 ટકા વરસાદ

Published

on

મહીસાગરમાં વરસી રહેલા સતત વરસાદને લઈ જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની છે. સમગ્ર જિલ્લામાં હાલ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે. સારો વરસાદ થતા ખેડૂતોએ કરેલા વાવેતર હવે આજ વરસાદનો ભોગ બન્યા છે. અને જેને લઇ સમગ્ર જિલ્લામાં ખેતીના વાવેતર નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. મહીસાગરમાં આ ચોમાસાની સીઝનનો 134 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. અને હજુ પણ સતત વરસી રહ્યો છે. સારો વરસાદ થવાને લઇ જિલ્લાના તમામ જળાશયો 100 ટકા ભરાઈ ચુક્યા છે. સારો વરસાદ અને જિલ્લાના જળાશયો ભરાઈ જવાને લઈ પંથકના ખેડૂતો નિશ્ચિત હતા અને સારો પાક થવાની આશા જિલ્લાના ખેડૂતો એ ડાંગર, મકાઈ, ગુવાર, મરચી, મગ, બાજરી, કપાસ, સોયાબીન અને શાકભાજી જેવા પાકો કર્યા હતા. આ પાકની જાળવણી માટે મોંઘા ભાવના ખાતર અને દવાઓનો છંટકાવ પણ કર્યો છે. વરસાદ સારો અને ખેતી લાયક વરસી રહ્યો હોય ખેડૂતોને સારા પરિણામની આશા બંધાઈ હતી. આ વખતે ખેતી ફાયદાકારક થશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ આ તમામ આશાઓ ખેતીના જીવનદાતા સમાન મેઘરાજા એ જ પાણી ફેરવી દીધુ છે. સતત વરસાદ, વાદળ છાયું વાતાવરણ અને નહીંવત્ત સૂર્યપ્રકાશને લઈ જિલ્લાની મોટાભાગના ખેત વાવેતરને ભારે નુકસાન થયું છે. મોટાભાગના વિસ્તારોમાં તો તમામ પાક નિષ્ફળ પણ ગયો છે. ત્યારે જિલ્લાના ખેડૂતો વરસાદ વિરામ લે તેવી આશ લગાવીને બેઠા છે.

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

મહિસાગર

મહીસાગર જિલ્લામાં દિવડા કોલોની- લુણાવાડાના જોખમી સૂકા વૃક્ષો કપાતા નથી.

Published

on

Dangerous dry trees of Divada Colony-Lunawada are not cut down in Mahisagar district.
દીવડાક લોનીથી લુણાવાડા માર્ગ વચ્ચે આવેલા સુકા વૃક્ષો કાપવામાં તંત્રની ઉદાસીનતા દાખવી રહી છે. નવો માર્ગ બન્યા બાદ 900 જેટલા લીલાછમ વૃક્ષો કટિંગ માટે મંજુરી માંગવામાં આવી છે. પરંતુ સુકા ભેગું લીલું બળવાના ઈરાદે ખરેખર જોખમી સુકા વૃક્ષોનું નિકંદન પણ ચોમાસુ આવવા છતાં ખોરંભે પાડવામાં આવી રહ્યું હોવાની શંકાઓ સ્પષ્ટ જોવા મળી રહી હતી. લુણાવાડા અને કડાણા તાલુકા સાથે જોડતા માર્ગનું એક વર્ષ અગાઉ નવીનીકરણ કરી પહોળો કરવામાં આવ્યો હતો.
જેમાં લુણાવાડાથી મલેકપુર સુધીના માર્ગની બન્ને બાજુ આવેલ 1000 જેટલા ઘટાદાર અને લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. જ્યારે મલેકપુરથી દીવડા કોલોની સુધી આવતા રસ્તાની બન્ને બાજુએ આવેલા 900 ઉપરાંત વૃક્ષો કટિંગ માટે તંત્ર દ્વારા મંજુરી માગવામાં આવી છે. જેમા માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગના સંકલનના અભાવે આ કામગીરી ખોરંભે પડી હોવાનું જોવા મળી રહ્યુ છે.
Dangerous dry trees of Divada Colony-Lunawada are not cut down in Mahisagar district.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ માર્ગની બન્ને બાજુ જે વૃક્ષો સુકા અને અકસ્માત સર્જે તેવા છે. તેમને પણ તંત્ર દ્વારા દુર કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.આ માર્ગ પર મલેકપુરથી સંઘરી વચ્ચે આવેલા 50 જેટલા સૂકા વૃક્ષોને કારણે ભુતકાળમાં ઘણા અકસ્માતો સર્જાય ચુક્યા છે. જેમા વાહન ચાલકોને ગંભીર ઈજાઓ તથા મૃત્યુ પણ પામ્યા છે. ઘણા વાહનોને મોટું નુકસાન થયું હતું.ત્યારે આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે ભારે પવન તથા વાવાઝોડામા આ સુકા અને જોખમી વૃક્ષો ગમે ત્યારે તુટીપડેતો વાહન અને વાહન ચાલકો માટે અકસ્માત સર્જી શકે છે. ત્યારે સુકા ભેગું લીલું બાળવાની નીતિમાં ખોરંભે પાડેલી કામગીરીને બંને વિભાગ દ્વારા સંકલનમા રહી સૌ પ્રથમ આ સુકા જોખમી વૃક્ષોનું ચોમાસા અગાઉ દુર કરવામાં આવે તેવી માંગ પ્રજામાં ઉઠવા પામી હતી.

Continue Reading

મહિસાગર

લુણાવાડા 42 પાટીદાર સમાજ ઘર ખાતે MGVCL દ્વારા ખેડૂતોને PM કુસુમ યોજનાના માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો.

Published

on

A seminar was organized by MGVCL at Lunawada 42 Patidar Samaj Ghar to guide farmers on PM Kusum Yojana.

લુણાવાડા ખાતે આવેલ 42 પાટીદાર સમાજ ઘર ખાતે mgvcl દ્વારા ખેડૂતોને pm કુસુમ સોલર પેનલ યોજનાના માર્ગદર્શન મલિ રહે તે માટે સેમિનાર ની આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં કઇકઈ સોલર પેનલ લગાવી અને વીજ ઉત્પાદન કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું ઉપરાંત સરકાર દ્વારા આ યોજનાની સબસીડી આપવામાં આવે છે તે વિશે માહિતી આપવામાં આવી હતી

A seminar was organized by MGVCL at Lunawada 42 Patidar Samaj Ghar to guide farmers on PM Kusum Yojana.

ઉપરાંત યોજનાથી થતા લાભ અને ફાયદા છે તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અને ખેડૂતો ને આ સોલર પેનલ પોતાના ખેતર  લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને જો આ સોલર પેનલ ખેડૂતો લગાવશે તો વીજળી જેવી સમસ્યા છે તેના થી રાહત મળશે તેમ mgvcl દ્વારા જણાવામાં આવ્યું હતું.

 

 

Continue Reading

મહિસાગર

મહીસાગર લુણાવાડા રામ પટેલના મુવાડા ગામ પાસે તળાવ ભરવાની યોજનાની પાઇપ લાઈનમાં લીકેજ થતાં લાખો લિટર પાણીનો વેડફાટ.

Published

on

Millions of liters of water leaked due to leakage in the pipeline of the lake filling scheme near Muwada village of Mahisagar Lunawada Ram Patel.
તળાવો ભરવા માટે જે યોજના અમલમાં મુકવામાં આવી છે તે અંતર્ગત રામ પટેલના મુવાડા સુધી પાઇપ લાઇન દ્વારા તળાવ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત પાઇપ લાઇન પણ લાંબી કરવામાં આવી હતી અને તેમાં તળાવ ભરવા માટે જે પાણી છોડવામાં આવ્યું હતું.ત્યારે અહીં રામ પટેલના મુવાડા પાસે તળાવો માં પાઇપ લીકેજ હોવાના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો
Millions of liters of water leaked due to leakage in the pipeline of the lake filling scheme near Muwada village of Mahisagar Lunawada Ram Patel.
અને પાણી આસપાસ ના ખેતરો માં ફેરવાયું હતું. તંત્ર ની અણ આવડત ને કારણે લાખો લિટર પાણીનો જે વેડફાટ છે જે લુણાવાડા તાલુકાના જોવા મળ્યું હતુ અને તાત્કાલિક આ લીકેજ ને રિપેર કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.એક તરફ ભર ઉનાળે ખેડૂતો ને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યુ અને બીજી તરફ લાખો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. તંત્રની અણ આવડત ને કારણે આ સમસ્યા  સર્જાઈ હતી તેવું લોકોમાં જણાઈ રહ્યું છે.

Continue Reading
ગુજરાત3 days ago

આત્મસમર્પણના અહેવાલો વચ્ચે અમૃતપાલ સિંહે આજે વીડિયો સંદેશ જારી કર્યો

Uncategorized3 days ago

ડ્રાઇવિંગ મોડ ડ્રાઇવિંગ અનુભવને બદલે છે, શ્રેષ્ઠ માઇલેજ મેળવવા માટે આ રીતે તેનો ઉપયોગ કરો

Uncategorized3 days ago

સહારા ચિટફંડમાં ફસાયેલા પૈસા પાછા આવશે, સુપ્રીમ કોર્ટે 5000 કરોડ જાહેર કર્યા

Uncategorized3 days ago

IIT મદ્રાસે પેપર આધારિત પોર્ટેબલ ઉપકરણ બનાવ્યું, 30 સેકન્ડમાં દૂધ સહિત આ પદાર્થોમાં પકડી લેશે ભેળસેળ

Uncategorized3 days ago

નિઝામાબાદ જિલ્લામાં મોટી દુર્ઘટના, ખોદવાનું મશીન કાર પર પડ્યું; ત્રણના મોત સહિત ચાર ઘાયલ

Uncategorized3 days ago

PMએ ડેમોક્રેસી સમિટમાં કહ્યું- ભારત ખરેખર લોકશાહીની માતા છે, દેશ છે લોકશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ

Uncategorized3 days ago

કેન્દ્ર સરકારમાં 9.79 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, રેલવેમાં સૌથી વધુ 2.93 લાખ જગ્યાઓ ખાલી

Uncategorized3 days ago

પુણેના સાંસદ ગિરીશ બાપટનું નિધન, પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું- જનતાના મુદ્દા ઉઠાવતા નેતા

નેશનલ4 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

વર્લ્ડ4 weeks ago

‘પુતિનનું યુક્રેન યુદ્ધ LAC પાર ચીનના આક્રમણને પ્રોત્સાહિત કરી શકે છે,’ ભૂતપૂર્વ યુએસ ટોચના અધિકારીએ ચેતવણી આપી

ગુજરાત2 weeks ago

LGBTQ તરીકે ઓળખાતા યુગાન્ડા આઉટલો, ગેરકાયદેસર સમલૈંગિક સંબંધો માટે આપે છે મૃત્યુદંડ

Uncategorized4 weeks ago

હેલ્થકેરને વધુ સારી બનાવવા ભારત અને વિશ્વ બેંક વચ્ચે થયો એક બિલિયન યુએસ ડોલરનો કરાર

Uncategorized4 weeks ago

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

Uncategorized4 weeks ago

વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટનો ફટકો! સંપત્તિ જપ્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી

Uncategorized4 weeks ago

4 હાઈકોર્ટમાં 20 વધારાના ન્યાયાધીશોની બઢતી, કાયદા મંત્રાલયના વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

Trending