બનાસકાંઠા : દાંતીવાડા BSF ખાતે 1હજાર વૃક્ષોનું રોપણ

admin
1 Min Read

દાંતીવાડા બીએફએફ હેડક્વાર્ટર ખાતે બીએસફની 199 બટાલિયન દ્વારા બીએસએફ કેમ્પસમાં 1 હજાર જેટલા અલગ અલગ પ્રકારના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જ્યાં બનાસડેરી ચેરમેન શંકર ચૌધરીએ પણ પહોંચીને વૃક્ષારોપણ કર્યું હતું તેમણે દેશના જવાનોનો આભાર માનીં કહ્યું હતું કે દેશ તેમનો રુણી છે આ જવાનો સરહદે 24 કલાક દેશનીં રક્ષા કરે છે તેવું જણાવી વૃક્ષનું જતન આબાદ વતન સૂત્ર દોહરાવી બીએસએફ કેમ્પસમાં 1000 વ્રુક્ષો વાવ્યા હતા.અને વધુમાં વધુ વ્રુક્ષો વાવવા લોકોને અપીલ કરી હતી તો બીએસએફના 109 બટાલિયનના કમાન્ડન્ટ અખિલેશકુમાર તીવારીએ કહ્યું હતું કે અમે દેશની રક્ષા કરીયે છીએ તો સાથે સાથે વૃક્ષો વાવીને ધરતી માતાની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી છે.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો અને સ્કૂલના વિધાર્થીઓ સહિત બીએસફના જવાનો જોડાયા હતા..

Share This Article