ભાવનગર- જેલના બે આરોપી થયા ફરાર

admin
1 Min Read

 ભાવનગર જિલ્લા જેલના બે આરોપીઓને સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પોલીસની નજર ચૂકવી આરોપીઓ ફરાર થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા શહેરભરમાં નાકાબંદી કરવામાં આવી રહી છે. એમ પણ આજકાલ પોલીસ અડધી ઊંઘમાં જોવા મળી રહી છે. દિવસેને દિવસે પોલસ સકંજામાંથી છુટીને ભાગતા આરોપીઓના સમાચાર સાંભળવા મળતા હોય છે.

આપને જણાવી દઈએ કે ફક્ત ભાવનગરમાં જ નહિ રાજ્યના અનેક બીજા શહેરોના પોલીસ પણ આવી બેદરકારી રાખે છે જેના કારણે આરોપી સહેલાઈથી પોલીસના સકંજામાંથી ભાગી નીકળે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુરતમાં પણ આવો જ કેશ બન્યો હતો જેમાં પોલીસ દ્વારા આરોપીને હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. શૌચ જવાના બહાને આરોપી શૌચાલયની બારી તોડીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો અને પોલીસ બહાર ઉભી ઉભી જોઈ રહી હતી. હવે ક્યાં સુધી પોલીસ પ્રશાસન આમ ઊંઘમાં રહેશે એ તો જોવાનું રહ્યું.

Share This Article