પ્રાંતિજમાં બીજો કોરોના પોઝિટિવ કેસ આવ્યો, તંત્ર હરકતમાં આવ્યું

admin
1 Min Read

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદના માઢા ગામની ૩૪ વર્ષીય મહિલાને કોરોનાનો પોઝિટિવ રીપોર્ટ આવતા સ્થાનિક તંત્ર સહિત જિલ્લા તંત્રમાં દોડ ધામ મચી જવા પામી હતી. તેમજ જિલ્લામાં બીજો  પોઝિટિવ કેસ સામે આવ્યો છે. મહત્વનુ છે કે, હાલ કોરોનાની મહામારીને લઇને દેશભરમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે.  ત્યારે લોક ડાઉન વચ્ચે પણ કોરોનાનો બીજો પોઝિટિવ કેસ મળી આવ્યો હતો.  

જેમાં પ્રાંતિજના મોયદના માઢા ગામની ૩૪ વર્ષીય મહિલા કિરણબેન અનિલસિંહ રાઠોડ કે જેવોને બીપીની તથા શ્વાસની તકલીફને લઇને હિંમતનગર ખાતે આવેલી   આવિષ્કાર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં.  જયારે તે દરમ્યાન આવિષ્કાર હોસ્પિટલ માંથી જ સંકમિત થઇ હોવાની હોસ્પિટલમાં દાખલ મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું હાલતો પ્રાથમિક તપાસમા જણાઈ આવે છે.  તો બે દિવસ પહેલાં જ આવિષ્કાર હોસ્પિટલમાં અરવલ્લી જિલ્લાની કોરોના પોઝિટિવ વૃધ્ધ મહિલાનું મોત થયું હતું.

Share This Article