બે વિજ ડીપીઓમાં લાગી આગ, ફાયર વિભાગને કરાઇ જાણ

admin
1 Min Read

પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ખાતે આવેલા આઈ પી મિશન જીવન દ્વારના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલા બે વિજ ડીપીઓ પાસે પાછળના ભાગે ઉગેલા ઘાસચાળા સહિત કચરામાં કોઇ કારણોસર આગ લાગી હતી. તેમજ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પાસે આવેલા બે વિજ ડીપી પાસે આગ આવી પોહચી હતી.

ત્યારે તાત્કાલિક પ્રાંતિજ ફાયરની ટીમને જાણ કરતાં ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ લાગેલી આગ ભુજાવી હતી. તેમજ વિજ કંપની એન્જીનીયર શૈલેષ ભાઇ યાદવ સહિત વિજ કર્મીઓ દોડી આવ્યા હતાં.

તેમજ પ્રાંતિજ નાયબ મામલતદાર અશોકભાઈ પટેલ,  દિગવિજય સિંહ સહિત દોડી આવ્યા હતાં. તેમજ આગને લઇને નાસભાગ મચી જવા પામી હતી.

આગ ડીપી પાસે જતાં પહેલાં પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ દ્રારા આગ ઓલવવામાં આવી હતી.  તો આગ ઓલવાઈ જતા મોટી જાનહાની ટળી ત્યારે તંત્ર સહિત વિજકંપની દ્રારા હાશકારો અનુભવ્યો હતો.

Share This Article