જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સંપન્ન થયા લગ્ન

admin
1 Min Read

નોવેલ કોરોના વાયરસ COVID-19ની મહામારીને નાથવા સમગ્ર ભારત દેશમાં લોકડાઉન છે.  ત્યારે જામનગર ખાતે એક પ્રેરણાદાયી પ્રસંગ ઉજવાયો હતો. જેમાં જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ શવક્રમશસિંહ ઝાલાના સુપુત્ર હર્ષવધષનશસિંહ ઝાલા તથા રૂશર્રાજશસિંહ હહિંમતશસિંહ ચુડાસમાના સુપુત્રી ઇશ્વરિા ચુડાસમાના લગ્ન ૨૦ વ્યક્તિઓની હાજરીમાં યોજાયા હતા.

ઉપસ્થિત ૨૦ મહેમાનો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું.  તેમજ નવદંપતિ સહિતનાં દરેક વ્યક્તિઓએ માસ્ક પહેરી લગ્ન વિધિ સંપન્ન કરાઇ હતી. આ લગ્ન પ્રસંગમાં અન્ન અને  રાજયમંત્રીધમેન્રશસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ અન્ય નાગરિકો માટે પ્રેરણાદાયી આ લગ્નોત્સવને બિરદાવવામાં આવ્યા હતા.  આ પ્રસંગે ચેયરમેન ઓફ કોમર્સનાં બિપેન્દ્ર સિંહ જાડેજા, જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર તથા શહેર અગ્રણી નરેન્દ્રભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article