કાંકરેજમાં મળ્યા બે પ્રેમી પંખીડાનાં મૃતદેહ

admin
1 Min Read

બનાસકાંઠાનાં કાંકરેજમાં આવેલ નર્મદા મુખ્ય કેનાલમાંથી બે પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યા હતા. બંને પ્રેમી પંખીડા એક બીજાને ઓઢણીથી બાંધેલી હાલતમાં જોવા મળ્યા હતા. પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યાના અહેવાલ ગામમાં પ્રસરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. આ બનાવ અંગે શિહોરી પોલીસને જાણકારી આપતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક યુવકનું નામ સતીષભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે યુવતીનું નામ મમતા દેસાઈ હોવાનું સામે આવ્યુ છે. આ બંને યુવક યુવતી છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ફરાર હતા. ત્યારે તેમનો મૃતદેહ મળી આવતા તેમના પરિજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. હાલ પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, પ્રેમની પરિભાષા સમય સાથે બદલાઈ રહી છે. અગાઉના વર્ષોમાં પ્રેમને સમર્પણનું નામ અપાતું પરંતુ હવે પ્રેમ ઘાતક નીવડતો હોવાનું દેખાઈ રહ્યું છે. આજીવન સાથ નહી મળે તો જિંદગી બોજ બની જશે તેવુ વિચારી પ્રેમીપંખીડાઓ જીવન ટૂંકાવી નાંખતા સહેજ પણ ખચકાતા નથી. દિવસેને દિવસે આમ પ્રેમમાં પડેલા પ્રેમી પંખીડાના અપઘાતોનાં આંકડાઓમાં વધારો થઇ રહ્યો છે.

Share This Article