મહેસાણા તાલુકાના ગામડાઓમાં સાંસદ શારદાબેન પટેલનો પ્રવાસ

admin
1 Min Read

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલોની સામે દેશમાં પ્રદર્શન રોકાતું નથી. ત્યારે સમગ્ર દેશમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમિ ઉત્તર પ્રદેશ જેવા ક્ષેત્રોમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. તો બીજી બાજુ આ કૃષિ બીલને લઈને ખેડૂતોમાં જાગૃતિ આવે તે માટે ભાજપ તરફથી પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહેસાણા જીલ્લાના તાલુકાના ગામડાઓમાં સાંસદ શારદાબેન પટેલ પી એમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાવવામાં આવેલ કૃષિ બિલને લઈ પ્રવાસ પર છે. જેમાં કૃષિ બિલને કારણે ખેડૂતોને ફાયદાઓ વિષે ખેડૂતોને માહિતગાર કરવામા આવ્યા હતા. જીલ્લાના નુગર, દેદીયાસણ, રામોસણા, ફતેહપુરા સહિત ગામોમાં સાંસદ દ્વારા પ્રવાસ કરવામાં આવ્યો હતો. આ સિવાય જીલ્લાના અન્ય ગમાંમો પણ જઈને કૃષિ બીલને લઈને લોકોને માહિતગાર કરવામાં આવશે તેમ શારદાબેન પટેલે જણાવ્યું હતું.

Share This Article