તો સરફેસ દ્વારા નથી ફેલાતો કોરોના વાયરસ ! રિસર્ચમાં સામે આવી વિગત

admin
1 Min Read

કોરોના વાયરસ સામે હાલ સમગ્ર દુનિયા ઝઝૂમી રહી છે. આ વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે હજી સુધી કોઈ કારગર વેક્સીન પણ શોધાઈ નથી. જેના પર કામ ચાલી રહ્યું છે. ત્યારે કોરોનાથી ઝઝૂમી રહેલ દુનિયા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કરવામાં આવેલા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મહામારી સરફેસ જેવા દરવાજા દ્વારા ફેલાતી નથી.

આ રિસર્ચ સાથે સંકળાયેલા પ્રોફેસર મોનિકા ગાંધીએ કહ્યું કે સપાટી એટલે કે સરફેસ દ્વારા ફેલાયેલા કોરોના વાયરસનો મુદ્દો વાસ્તવમાં ખત્મ થઈ ગયો છે. તેમણે કહ્યું કે જમીન પર પડેલા કોઈપણ વાયરસમાં વ્યક્તિને બીમાર કરવાની એટલી શક્તિ હોતી નથી. આ રિસર્ચ પરથી ખબર પડે છે કે કોરોનાનો ફેલાવો રોકવા માટે હાથ ધોવા અને પોતાના ચહેરાને ના અડવા જેવા પગલાથી નહીં પરંતુ વધુ કારગર સોશિયલ ડિસ્ટેંસિંગ અને માસ્ક પહેરવાથી છે. મોનિકાએ કહ્યું કે આનો અર્થ એ પણ છે કે સમગ્ર વિશ્વમાં સતત એન્ટિ બેક્ટેરિયલ સ્પ્રેનો છંટકાવ જમીન પર કરવો બિનજરૂરી હોઈ શકે છે. આપને જણાવી દઇએ કે કોરોના મહામારી દરમ્યાન આખા વિશ્વમાં આ પ્રકારના સ્પ્રેનો છંટકાવ જમીન પર કરવામાં આવી રહ્યો છે.

Share This Article