તો શું કોગળા કરવાથી કોરોના થશે નિષ્ક્રિય?, અમેરિકન સંશોધકે કર્યો દાવો

admin
2 Min Read

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ કોરોનાની રસી શોધી લીધી હોવાનો દાવો કર્યો છે પરંતુ વિશ્વનો કોઈ પણ દેશ દવા શોધી શકયા નથી. આ દરમિયાન કોરોના વાયરસને બજારમાં મળતા માઉથવોશના ઉપયોગથી નિષ્ક્રિય કરી શકાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એક સંશોધન પ્રમાણે માઉથવોશ અને ઓરલ એન્ટિસેપ્ટિક કોરોનાને ન્યૂટ્રલ કરી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સંક્રમણ પછી જો મોઢાની સફાઈ કરવામાં આવે તો વાઈરસને આગળ વધતો રોકી શકાય છે.

લેબમાં થયેલા પ્રયોગમાં આ વાત સાબિત થઇ ગઈ છે. અમેરિકન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, નાક અને મોંની સફાઈથી કોરોનાને ન્યૂટ્રલ કરી શકાય છે. એનાથી સંક્રમિત વ્યક્તિમાં વાઈરસની સંખ્યા ઘટી જાય છે. રિસર્ચ કરનારી પેન્સિલવેનિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લેબમાં માઉથવોશ, ઓરલ એન્ટિસેપ્ટિક અને બેબી શેમ્પૂનો પ્રયોગ માણસમાં મળતા વાઈરસ પર કરવામાં આવ્યો. એ પછી અલગ-અલગ વસ્તુઓ પર વાઈરસની અસર જોવામાં આવી. દરેક 30 સેકન્ડ, 1 મિનિટ અને 32 મિનિટ પછી અસરની તપાસ થઇ.

કોરોનાનો કેટલી હદ સુધી નાશ થયો છે એ સમજવા માટે માણસની કોશિકાઓમાં સોલ્યુશન ઉમેરવામાં આવ્યું. એ પછી જોયું કે કેટલી કોશિકાઓ જીવતી રહે છે. જર્નલ ઓફ મેડિકલ વાયરોલોજીમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, બેબી શેમ્પૂના 1% સોલ્યુશનથી પણ 2 મિનિટમાં 99.9% કોરોના વાઈરસ નિષ્ક્રિય એટલે કે ન્યૂટ્રલ થઇ શકે છે. જો માઉથવોશનો પ્રયોગ કરો છો તો 30 સેકન્ડ કોગળા કરીને 99.99% સુધી કોરોના વાઈરસને ન્યુટ્રલ કરી શકાય છે. કોરોના દર્દી અને ક્વોરન્ટીનમાં રહેતા લોકો માટે માઉથવોશ અને ઓરલ એન્ટિસેપ્ટિક ઘણા અસરકારક સાબિત થઇ શકે છે.

Share This Article