ધાનેરા રેલવે સ્ટેશન નજીકનો બનાવ

admin
1 Min Read

બનાસકાંઠાના ધાનેરા રેલવે સ્ટેશન નજીક યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, શિવમ ટાયર્સ નામની દુકાનમાં કામ કરતા યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. જેમણે બનાવ અંગે સ્થાનિક પોલીસન જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. યુવકે આત્મહત્યા કયા કારણોસર કરી તે અંગે કોઈ વિગત સામે આવી નથી. તો બીજીબાજુ સ્થાનિક લોકોનું કહેવુ છે કે યુવકની લાશ નજીક પોલીસે કોઈને જવા નહતા દીધા, જેના કારણે પોલીસની કામગીરી સામે તેમજ યુવાનની આત્મહત્યાને લઈ શંકાઓ ઉપજી રહી છે.

Share This Article