ગઢડામાં આચાર્ય પક્ષના એસપી સ્વામી વિવાદમાં, હરિજીવનદાસ સ્વામીને ઝીંકી દીધો લાફો

admin
2 Min Read

ગઢડાનું ગોપીનાથજી મંદિર હવે સેવાભાવ ભક્તિભાવ સાથે સાથે સત્તાની સાઠમારી માટે પણ જાણીતું થઈ ગયું છે. અહીંયા દર બે મહિને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ઝઘડાઓ થયા કરે છે. ત્યારે ગત રવિવારથી ફરી ગઢડા મંદિરમાં ચેરમેનની ખુરશી માટે  નાટકીય રીતે સત્તાની ખેંચાખેંચી થઈ છે. ત્યારે વધુ એક વખત ગોપીનાથજી મંદિર ચર્ચામાં આવ્યુ છે. આચાર્ય પક્ષના એસપી સ્વામીએ હરિજીવનદાસ સ્વામીને લાફો ઝીંકી દેતા તેઓ વિવાદમાં સપડાયા છે.

હકિકતમાં રવિવારે આચાર્ય પક્ષે રવિવારે મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીના સ્થાને રમેશ ભગતની ચેરમેન તરીકે નિમણૂક કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે, દેવ પક્ષે આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી કારણ કે મંદિરની ચૂંટણીમાં તેમનો વિજય થયો છે. દરમિયાન આ અંગે થયેલી હુસાતુસીમાં પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી કરી રહ્યા છે.

તેમણે આચાર્ય પક્ષના એસપી સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી છે. હરિજીવનદાસ સ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ચેરમેનની ઓફિસમાં ગયો ત્યારે પાર્ષદ રમેશ ભગત મારી ખુરશી પર બેઠા હતા અને પોલીસ પણ ત્યારે અમારી સામે હાજર હતી ત્યારે એસપી સ્વામીએ મને ગાળ આપી અને લાફો મારી લીધો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article