જાણો દેશમાં અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી અને કેટલા લોકોને થઈ સાઇડ ઇફેક્ટ

admin
1 Min Read

વૈશ્વિક કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં 16મી જાન્યુઆરીથી દેશવ્યાપી રસીરકણ અભિયાન છેડવામાં આવ્યુ હતું. કેન્દ્ર સરકારે રસીકરણના પહેલા તબક્કામાં સ્વાસ્થ કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ સહિત 30 કરોડ લોકોને ફ્રી વેક્સીન લગાવવાનો લક્ષ નક્કી કર્યો હતો.

આ વિશે માહિતી આપતાં સ્વાસ્થ મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 4,54,000થી વધુ લોકોને કોરોના વાયરસ સામે રસી લગાવવામાં આવી હતી. આ સંદર્ભે વિગતવાર માહિતી આપતાં હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે કહ્યુ કે, દેશમાં કુલ 4,54,049 લોકોને રસી લગાવવામાં આવી છે. જે પૈકી અત્યાર સુધી માત્ર 0.18 ટકા લોકોને સાઈડ ઈફેક્ટ થયાનું સામે આવ્યુ છે.

જ્યારે રસીકરણના પહેલા દિવસે વિશ્વમાં સૌથી વધુ રસી ભારતમાં લગાવવામાં આવી હતી. આ માટે દેશમાં 3500 રસીકરણ કેન્દ્રો સક્રિય છે. રાજેશ ભૂષણે જણાવ્યું કે રસીકરણના પહેલા દિવસે લક્ષદ્વીપ, સિક્કિમ, ઓડિશા, અંડમાન-નિકોબાર દ્વીપ, તેલંગાણા, દાદરા નાગર હવેલી, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પહેલેથી નક્કી કરાયેલા લક્ષથી અનેકગણા વધુ લોકોને રસી લગાવવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, તમિલનાડુ, પુડુચેરી અને પંજાબમાં 40 ટકાથી ઓછુ રસીકરણ થયુ છે.

Share This Article