બનાસકાંઠા : સર્ટીફાઇડ ઓર્ગેનીક ફાર્મર યશ પઢીયારને કરાયા સન્માનિત

admin
1 Min Read

પાલનપુરના પ્રથમ સર્ટીફાઇડ ઓર્ગેનીક ફાર્મર યશ પઢીયાર ને આઈ.એ.આર.આઈ નવી દિલ્હી દ્વારા “ઇનોવેટિવ ફાર્મર્સ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મળતી વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુરમાં છેલ્લાં ઘણા વર્ષોથી યશ પઢીયાર દ્વારા હિર ઓર્ગેનીક ફાર્મમાં ઓર્ગેનિક ફાર્મિંગ કરવામાં આવી રહી છે.

 

 

 

સંદર્ભમાં આઈએઆરઆઈ નવી દિલ્હી દ્વારા થોડાક સમય પહેલાં ઇનોવેટિવ ફાર્મર્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ એવોર્ડ  કૈલાસ ચૌધરી,  ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી અને ભારત સરકારના ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર) ના ડિરેક્ટર ત્રિલોચન મોહાપાત્રના હસ્તે પાલનપુરના હિર ઓર્ગેનીક યશ પઢીયારને ઇનોવેટિવ ફાર્મર્સ એવોર્ડ એનાયત કરી સન્માનિત કર્યા હતા.

Share This Article