દાહોદ : દાહોદમાં ભાજપ દ્વારા યોજવામાં આવ્યા વિવિધ કાર્યક્રમ

admin
1 Min Read

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 41 વર્ષ પૂર્ણ થયા અને 42માં વર્ષમાં પ્રવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આજે ભાજપના 42માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દાહોદમાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

 

 

આ પ્રસંગે પાર્ટીના 42માં સ્થાપના દિવસ નિમિત્તે અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. જોકે કોરોનાની મહામારી વચ્ચે ભાજપના નેતાઓ દ્વારા સાદાઈથી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં માત્ર ગણતરીના જ કાર્યકરો હાજર રહ્યા હતા.  તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવ્યુ હતું. મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટીના 42માં સ્થાપના દિવસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય મંચથી દેશના તમામ કાર્યકરોને સંબોધિત કરવામાં આવ્યું હતું.

Share This Article