ભરૂચ : નેત્રંગના ખરેઠા ગામે આગ લાગતા ઘર બળીને ખાખ, અગમ્ય કારણોસર આગ લાગી

admin
1 Min Read

નેત્રંગના ખરેઠા ગામે આગ લાગતા ઘર બળીને ખાખ થઇ જવા પામી હતી. પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખરેઠા ગામના છગનભાઇ તુલીયાભાઇ વસાવા ખેતીકામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. પોતાના ઘરના છાપરા ઉપર ઢોર – ઢાખર માટે ઘાસચારો ભયૉ હતો. કોઈ અગમ્ય કારણોસર સાંજના સમયે ઘરમાં એકાએક આગ લાગી હતી.જેમાં કપડા,અનાજ-કરીયાણું,ઘરવખરીનો સામાંન અને અન્ય જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓનો સામાન બળીને ખાખ થઇ જવા પામ્યુ હતું,

ઘરમાં આગ લાગ્યાની ઘટનાની જાણ આજુબાજુના રહીશોને થતાં તાત્કાલીક ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા.પાણીનો છંટકાવ અને ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદનસીબે પરીવારના સભ્યોને કોઇ જાનહાની કે ગંભીર ઇજાઓ પહોંચી નહતી.પોતાની નજર સામે જ ઘર આગની ઝપેટમાં બળીને ખાખ થઇ જતા પરીવારના સભ્યો ચિંતાતુર બની ગયા હતા.આ બાબતે ખરેઠા ગ્રા.પંચાયતના સરપંચ અને તલાટીએ પંચકેસ કરીને આગળની કાયઁવાહી હાથધરી હતી…

Share This Article