મહેસાણા : ગુરુપૂર્ણિમા નિમિતે સ્વામિનારાયણ મંદિરમાં વિશેષ કાર્યક્રમ

admin
1 Min Read

ગુરુ પૂર્ણિમા હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવે છે. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.

આ મુજબ ગુરૂ નો અર્થ અજ્ઞાન રૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાન રૂપી પ્રકાશ આપનાર આવો થાય છે. ત્યારે આજે મહેસાણાના રાજ્યસભાના સાંસદ BAPS સ્વામિનારાયણ મંદિરે પહોંચી કોઠારી સ્વામીના દર્શન કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. અને મા કરતા વધુ મહત્વ ધરાવનાર ગુરુ મહિમા અંગે કોઠારી સ્વામી આગળ જાણકારી મેળવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Share This Article