ભરૂચ :પાણેથા ગામના ખેડૂતને જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર એનાયત

admin
1 Min Read

ભારત દેશના ખેડૂતો કોઈ વૈજ્ઞાનિક થી કમ નથી તે વાતને ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના યુવાન ખેડૂત ધીરેનભાઈ ભાનુભાઈ દેસાઈએ સિદ્ધ કરી બતાવ્યું છે. યુવા ખેડૂત ધીરેનભાઈ દેસાઈને ૨૦૧૫ થી ૨૦૨૧ દરમિયાન ૧૬ થી વધુ કૃષિ એવોર્ડ રાજ્યકક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષાના સરકાર દ્વારા મળ્યા છે. પાણેથા ગામના ખેડૂત ધીરેનભાઈ ખૂબ ઉત્સાહી અને ખંતીલા ખેડૂત સાબિત થયા છે. સાચી રીતે કહીએ તો ધીરેનભાઈ દેસાઈ પાણેથા ઝઘડિયા ભરૂચ ગુજરાતના જ નહીં પરંતુ ભારત દેશના આગવી કોઠાસૂઝ ધરાવતા ખેડૂત સાબિત થયા છે.

ધીરેનભાઈ દેસાઈને ભારત સરકારના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર ૨૦૨૦ એનાયત કરવામાં આવ્યો છે. આજરોજ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર દ્વારા કૃષિ ભવન નવી દિલ્હી ખાતે યોજાયેલી આઇસીએઆર એવોર્ડ સેરેમની માં ભારત દેશના ચાર ખેડૂતોને જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર, જગજીવનરામ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ નેશનલ ૨૦૨૦ એનાયત કરવામાં આવ્યો છે, તેમાં ઝઘડિયા પાણેથા ગામના ધીરેનકુમાર ભાનુભાઈ દેસાઈ તથા કર્ણાટકના સરના બસપા પાટીલ, હિમાચલ પ્રદેશના હરમન શર્મા અને બિહારના શ્રીમતી મનોરમા સિંહને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ સાથે પાણેથા ગામના ખેડૂત ધીરેનભાઈ દેસાઈને એવોર્ડ સાથે સાથે એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

Share This Article