ગુજરાત: એક સમયે જ્યાં પીવાના પાણીના ફાંફા હતા ત્યાં અત્યારે 11 કિમીમાં 800 કરોડ લિટર પાણીનો સંગ્રહ

admin
3 Min Read

હીરાના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાને કોણ ન ઓળખતું હોય ! તેઓ તેમના હીરાના વ્યવસાય માટે જેટલા જાણીતા છે તેના કરતાં વધારે તેમનાં સેવા કાર્યોના કારણે વધારે લોકપ્રિય છે. પોતાના ત્યાં કામ કરતા કારીગરો અને તેમના પરિવારોનું ધ્યાન રાખવાની સાથે-સાથે પોતાના વતન માટે પણ અદભૂત અને અવર્ણનિય સેવાકાર્યો કર્યાં છે. આવા જ એક અદભુત કાર્યની વાત કરી રહ્યા છીએ આજે અમે, જેનો ફાયદો મળ્યો છે, 20 ગામડાંને 2008 માં સૌરાષ્ટ્રમાં ભીષણ દુષ્કાળ પડેલ. આ સમયે જળધારા ગૃપ લોકોની મદદે આવ્યું હતું. આ સમયે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં, જળધારા ગૄપ સાથે મળીને ધોળકીયા ફાઉન્ડેશને એક કરોડ રૂપિયાની મદદથી ગામમાં તળાવ બનાવ્યું. પહેલાં માત્ર વરસાદ પર નિર્ભર ખેડૂતોને હવે તળાવનું પાણી પણ મળવા લાગ્યું. જેથી અહીં કપાસની ખેતી કરી રહેલ ખેડૂતોના ઉત્પાદનમાં ચાર ઘણો વધારો થયો. લાઠી, અકાળા અને દૂધાળા, ત્રણ ગામના સંગમ વચ્ચે રહેલ મોટી જગ્યાનો સદઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું.

આ ત્રણ ગામની વચ્ચે ખારો પાટ હતો. જે એકદમ વેરાન જમીન હતી અને અહીં માત્ર બાવળ જ ઊગતા હતા. અહીં જ્યારે વરસાદ સારો થાય ત્યારે 40 ફૂટનું નદીનું વહેણ વહે અને બાકીના સમયે સૂકાઈ જાય. આ વહેણ આગળ જતાં પાલીતાણામાં શેત્રુજય નદીમાં મળે. જેની ઊંડાઈ માત્ર 2 ફૂટ હતી. જેની પહોળાઈ 40 ફૂટથી વધારીને 200 ફૂટ કરી અને ઊંડાથી 12 થી 30 ફૂટ કરવામાં આવી. જેમાંથી સાડા ત્રણ લાખ કરતાં વધારે ટ્રક માટી કાઢવામાં આવી. આ માટીનો પણ કોઈ વિચારી પણ ન શકે એવો સદઉપયોગ કરવામાં આવ્યો. જેમાં વન વિભાગની મદદથી 100000 કરતાં વધારે દેશી કુળનાં વૃક્ષો વાવવામાં આવ્યાં તો તેમાંથી જે ચીકણી માટી નીકળી, જે ખેતી લાયક નહોંતી, તેમાંથી માનવસર્જિત પર્વતો બનાવવામાં આવ્યા. જેના પર 40-50 ફૂટની મૂર્તીઓ મૂકી. જેથી આસપાસથી આવતા લોકો અહીં ફરવા આવે. જ્યાં લોકો પાણી માટે વલખાં મારતાં હતાં એ વિસ્તારમાં જ્યારે પહેલીવાર આટલું પાણી ભરાયું ત્યારે લગભગ 50 હજાર લોકોનું મહેરામણ ઊભરાયું હતું. જીવનમાં પહેલીવાર આટલું પાણી જોતાં આસપાસનાં ગામડાંના લોકોની આંખો પણ અશ્રુભીની થઈ ગઈ હતી. અત્યારે તો અહીં આસપાસના ખેડૂતોની આવકમાં વધારો થયો જ છે, સાથે-સાથે તેમના દ્વારા વાવેલ આ વૃક્ષો મોટાં થતાં, એક સમયે વેરાન ગણાતો આ વિસ્તાર વધારે હરિયાળો બનશે. વૃક્ષો વધતાં, વરસાદ પણ વધશે અને વાતાવરણમાં ઓક્સિજનનું સ્તર પણ. સાથે-સાથે ગરમી પણ ઘટશે. તો ઘણા લોકોને રોજી-રોટી રળવામાં બહુ મદદરૂપ રહ્યો છે

Share This Article