ગુજરાત-દિવાળીની રજાઓ બાદ રાજ્યમાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા

admin
1 Min Read

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા છે. જ્યારે 36 દર્દીઓ સાજા થયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. જ્યારે 14 જુલાઈએ 41 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 11 નવેમ્બરે 42 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. જ્યારે 3 શહેર અને 25 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી.

તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.75 ટકા પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નોંધાયું નથી. અગાઉ 5-7 ઓક્ટોબર, 9 ઓક્ટોબર અને 20 ઓક્ટોબરે એક-એક એમ 5 મોત નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 વ્યક્તિઓના મોત થયા હતા. રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 826ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 90 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 521 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 215 એક્ટિવ કેસ છે, જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 207 દર્દીની હાલત સ્થિર છે.

Share This Article