દાહોદ-રાહુલ ગાંધીની આદિવાસી સત્યાગ્રહ સભાને લઈને પત્રકાર પરિષદ

Subham Bhatt
1 Min Read

દાહોદ ખાતે યોજાનાર રાહુલ ગાંધીની આદિવાસી સત્યાગ્રહ સંમેલન ને લઈને ગુજરાત કોંગ્રેસનામોવડી મંડળે દાહોદમાં ધામા નાખ્યા છે તેને લઈને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ગુજરાતકોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ભરતસિંહ સોલંકી અર્જુન મોઢવાડીયા નારણ રાઠવા જેવા અનેક ગુજરાત
કોંગ્રેસના દિગ્ગજોએ દાહોદમાં યોજાનારા આદિવાસી સત્યાગ્રહ સંમેલનની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે

Press conference on Dahod-Rahul Gandhi's Adivasi Satyagraha Sabha

ત્યારે રાહુલ ગાંધીના દાહોદમાં આગમન પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશઠાકોરે પત્રકારો સાથે પ્રેસ વાર્તાલાપ કરી હતી અને જણાવ્યું હતું કે આગામી ૧૦ મી મે ના રોજ રાહુલગાંધી સવારે દસ વાગ્યે આદિવાસી જનતા ને સંબોધન કરશે ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાતનાંઆદિવાસી ધારાસભ્યો અને આગેવાનો જોડે બેઠક યોજશે અને ત્યારબાદ પ્રસંગ પાર્ટી હોલ ખાતેઆદિવાસી બહેનો સાથે સંવાદ કરશે અને દાહોદમાં સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાં સુધી રાહુલ ગાંધી દાહોદમાં રહેશે

Share This Article