વડોદરા-એકતાયાત્રા આજરોજ શિનોરના માંજરોલ ખાતે પહોચી

Subham Bhatt
1 Min Read

તારીખ ૧ મેં થી શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજ શેખાવત ની અધ્યક્ષતા નિકળેલીએકતાયાત્રા આજરોજ શિનોર ના માંજરોલ મુકામે આવી પહોંચતા, ગામના રાજપૂત સમાજ દ્વારાએકતાયાત્રા નું સ્વાગત કરાયું હતું. શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સમાજ ને સંગઠીત કર્યા બાદ હવે સમાજદરેક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરે તેવા હેતુ સાથે, ગુજરાત પ્રદેશ કરણી સેના ના ઉપાધ્યક્ષ રાજ શેખાવતધ્વારા તા.૧ મેં થી ૧૬ મેં દરમ્યાન એકતાયાત્રા નું આયોજન કરાયું છે.

The Vadodara-Ektayatra reached Manjrol in Shinor today

જે અંતર્ગત એકતાયાત્રા ગામે ગામ પહોંચી સમાજ ને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે… આજરોજ કરણી સેનાના દક્ષિણ તથા મધ્યગુજરાત ના આગેવાનો સાથે આવી પહોંચેલા રાજ શેખાવત નું , માંજરોલ રાજપૂત સમાજે સ્વાગત કરી,સમાજ ની એકતા ના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે માંજરોલ ગામના યુવા આગેવાન અને શિનોર તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ નિરુપાલસિહ ને તાલુકા ના પ્રભારી તરીકે નિયુક્ત કરી સમાજ માટે વિશેષ જવાબદારી સોંપાઈ હતી..

Share This Article