દાહોદ-વાસફોડીયા સોસાયટી જવાનો માર્ગ પાલિકા દ્વારા ખુલ્લો કરાયો

Subham Bhatt
1 Min Read

છેલ્લા કેટલાય સમયથી બંધ દાહોદની વાસફોડીયા સોસાયટી જવાનો માર્ગ નગરપાલિકા દ્રારા ખુલ્લો કરવામાં આવ્યો હતો. દાહોદના સ્ટેશન રોડ ઉપર સરસ્વતી સર્કલ નજીક આવેલા વાસફોડીયા સોસાયટી જવાના માર્ગ પહેલા નગરપાલિકા ની માલિકીના ખુલ્લા પ્લોટ માંથી વાસફોડીયા સોસાયટીની અંદર જવા અને બહાર નીકળવા માટેનો માર્ગ પતરા મારી સ્માર્ટ સીટી ડેવલોપમેન્ટ અંતર્ગત બંધ કરી દેવામાં આવ્યો હતો

The way to Vasphodia Society was opened by the municipality

જ્યાં નગરપાલિકા ની ખુલ્લી જમીનમાં નવીન દાહોદ ની નગરપાલિકા ભવન બનાવવાનું આયોજન સ્માર્ટ સીટી અંતર્ગત લેવામાં આવ્યું હતું પરંતુ કોઈક કારણોસર નવીન નગરપાલિકા ભવન અહીંયા ના બનાવી અન્ય જગ્યાએ બનવાના આયોજનને લઈને સ્થાનિક કાઉન્સિલરો ની રજુઆત અને ત્યાંના સ્થાનિક લોકોના વિરોધને લઈને આખરે નગરપાલિકા તંત્ર દ્રારા આજે બુલડોઝર વડે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક કાઉન્સિલરોએ ઉભા રહી છેલ્લા કેટલાય સમયથી બંધ રસ્તાને ખુલ્લો કરાવ્યો હતો

Share This Article